ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
સેશેલ્સ ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ સેબેસ્ટિયન પિલ્લઇએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનની મુલાકાત લીધી
પોસ્ટેડ ઓન:
20 FEB 2026 8:26PM by PIB Ahmedabad
સેશેલ્સ ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ, મહામહિમ સેબેસ્ટિયન પિલ્લઇએ આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનની મુલાકાત લીધી હતી.
બેઠક દરમિયાન, બંને નેતાઓએ અગ્રતાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા અંગે વ્યાપક ચર્ચાઓ કરી હતી. તેઓએ દરિયાઈ સુરક્ષા અને સલામતીમાં સહયોગ વધારવા, ટ્રાન્સશિપમેન્ટની તકો શોધવા અને બંને દેશો વચ્ચે બજારની પહોંચ સુધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નેતાઓએ અક્ષય ઊર્જા ક્ષેત્રમાં ભારતના વ્યાપક અનુભવ અને કુશળતાનો લાભ લઈને સમગ્ર સેશેલ્સમાં સોલર અને અક્ષય ઊર્જા પહેલના વિસ્તરણ અંગે પણ ચર્ચા કરી હતી.
બંને પક્ષોએ આરોગ્ય અને આવાસ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં નાગરિકોને સીધો લાભ આપતી લોકો-કેન્દ્રીત અને ટકાઉ વિકાસ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ભારત અને સેશેલ્સ આ વર્ષે રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોવાનું નોંધીને, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં સતત પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ લાંબા સમયથી ચાલતા ડાયસ્પોરા જોડાણો અને બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો-થી-લોકોના જોડાણોની પ્રશંસા કરી હતી, અને આગામી વર્ષોમાં ભાગીદારીને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2231062)
મુલાકાતી સંખ્યા : 8