સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

દીનદયાળ સ્પર્શ યોજના 2024-25

Posted On: 14 AUG 2024 1:43PM by PIB Ahmedabad

દીન દયાલ સ્પર્શ (હોબી તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટેની શિષ્યવૃત્તિ) યોજના 2017-18થી શાળાના વિદ્યાર્થીઓમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગની એક યોજના છે.

આ યોજના હેઠળ ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને આ વર્ષે 40 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ પ્રત્યેક વિદ્યાર્થી માટે વાર્ષિક રૂ.6000/- જેટલી થાય છે.

યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મ 18.09.2024ના રોજ અથવા તે પહેલાં રજિસ્ટર / સ્પીડ પોસ્ટ દ્વારા અથવા હાથથી સંબંધિત ટપાલ વિભાગની પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક / પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે પહોંચાડવાના રહેશે.

યોજનાની વિગતો અને અન્ય નિયમો અને શરતો અહીં જોઈ શકાય છે

http://www.indiapost.gov.in/Philately/Pages/Content/Deen-Dayal-SPARSH-Yojana.aspx

વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરોઃ

1.      ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ – 380001 (079 25504946)

2.      પોસ્ટમાસ્ટર જનરલ, હેડ કવાર્ટર રીજન, અમદાવાદ – 380004. ( 079 22866806 )

3.      પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા રીજન, વડોદરા – 390002. ( 0265 2750811 )

4.      પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ રીજન, રાજકોટ - 360001. ( 0281 2231560 )

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2045171) Visitor Counter : 31


Read this release in: English