સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ સામાજિક ન્યાયની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો
પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી, આગામી બજેટમાં સામાજિક અને આર્થિક ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
19 JUL 2024 4:43PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમના મંત્રાલયની સિદ્ધિઓ અને ગુજરાતમાં તેની યોજનાઓના અમલીકરણ પર પ્રકાશ પાડ્યો હતો.

શ્રી આઠવલેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું, "મહિલાઓ માટે અનામત બિલ પસાર કરવા અને કલમ 370 હટાવવા જેવા ઐતિહાસિક નિર્ણયો તેમણે લીધા છે.” તેમણે રેલ નેટવર્ક, રસ્તાઓના વિસ્તરણ . અને એરપોર્ટ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર પ્રધાનમંત્રીએ આપેલા લક્ષની પણ પ્રશંસા કરી."

મંત્રીએ સરકારની ફેલોશિપ યોજના પર પ્રકાશ પાડ્યો, જે દરેક રાજ્યના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાંથી 60% મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમણે એ પણ જાહેરાત કરી કે આગામી બજેટ સામાજિક અને આર્થિક ન્યાયને પ્રાથમિકતા આપશે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરશે."
શ્રી આઠવલેએ મેન્યુઅલ સ્કેવેન્જિંગને નાબૂદ કરવાના સરકારના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, ઓળખાયેલા લાભાર્થીઓને તેમની આજીવિકા માટે રૂ. 40,000 પૂરા પાડ્યા અને નગરપાલિકાઓને મશીનો ખરીદવા માટે ભંડોળની ફાળવણી, ખાતરી કરી કે કોઈએ ગટરમાં પ્રવેશવું ન પડે.
વધુમાં, તેમણે ગરીબો માટે શૌચાલયથી સજ્જ ત્રણ લાખ ઘરો અને ખેડૂતો માટે રૂ. 20,000 કરોડ મંજૂર કરવાની સરકારની પહેલો પર પ્રકાશ પાડ્યો. તેમણે PM મોદીની સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગુજરાતને એક મોડેલ રાજ્ય તરીકે વિકસાવવાના તેમના પ્રયાસો માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. અમારું મંત્રાલય સામાજિક અને આર્થિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે અને જેમ પીએમ મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે તેમ અમે ખાસ કરીને રોજગાર માટે આ દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું.
પત્રકાર પરિષદ બાદ મંત્રીએ ગુજરાતમાં તેમના મંત્રાલયની યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2034382)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English