સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગુજરાત એલએસએ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ અને ડીઓટીની નાગરિક કેન્દ્રિત પહેલ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
Posted On:
05 DEC 2023 4:39PM by PIB Ahmedabad
ગુજરાત એલએસએ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા તા.૦૫/૧૨/૨૦૨૩ના રોજ આઈ.ટી.આઈ., કુબેર નગર, અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ડીઓટીની સાયબર સુરક્ષા જાગૃતિ અને નાગરિક કેન્દ્રિત પહેલ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ચિત્રકાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ, મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા કુલ આશરે 200 વિવિધ ટ્રેડના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સે ભાગ લીધો હતો.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/dot1C6BM.jpg)
તાજેતરના વર્ષોમાં, તકનીકીની ઝડપી પ્રગતિએ અસંખ્ય ફાયદાઓ લાવ્યા છે, પરંતુ તે આપણને વિવિધ લાભોમાં આપે છે જ સાથે સાયબર ધમકીઓ અને નબળાઈઓ પણ ઉજાગર કરે છે. તે નિર્ણાયક છે કે ભારતના નાગરિકની સુરક્ષા માટે આપણે નવીનતમ વિકાસ વિશે અપડેટ અને સારી રીતે માહિતગાર રહીએ.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/dot2DDNF.jpg)
સંચારસાથી પોર્ટલમાં સામાન્ય નાગરિક માટે વિવિધ નાગરિક કેન્દ્રિત પહેલો (ખોવાયેલા મોબાઇલ હેન્ડસેટની જાણ કરવા માટે સીઇઆઇઆર પોર્ટલ, તમારા કનેક્શનને જાણવા માટે ટીએએફકોપ)નો અમલ કરવામાં ટેલિકોમ વિભાગ મોખરે છે.
આ સેમિનારનું આયોજન કરીને, અમે અમારા આઈટીઆઈ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સાયબર ડીઓટીની સુરક્ષા અને નાગરિક કેન્દ્રિત પહેલો માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખવા એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
CB/GP/JD
(Release ID: 1982712)
Visitor Counter : 85