સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગુજરાત એલએસએ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ અને ડીઓટીની નાગરિક કેન્દ્રિત પહેલ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
05 DEC 2023 4:39PM by PIB Ahmedabad
ગુજરાત એલએસએ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા તા.૦૫/૧૨/૨૦૨૩ના રોજ આઈ.ટી.આઈ., કુબેર નગર, અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ડીઓટીની સાયબર સુરક્ષા જાગૃતિ અને નાગરિક કેન્દ્રિત પહેલ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ચિત્રકાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ, મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા કુલ આશરે 200 વિવિધ ટ્રેડના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સે ભાગ લીધો હતો.

તાજેતરના વર્ષોમાં, તકનીકીની ઝડપી પ્રગતિએ અસંખ્ય ફાયદાઓ લાવ્યા છે, પરંતુ તે આપણને વિવિધ લાભોમાં આપે છે જ સાથે સાયબર ધમકીઓ અને નબળાઈઓ પણ ઉજાગર કરે છે. તે નિર્ણાયક છે કે ભારતના નાગરિકની સુરક્ષા માટે આપણે નવીનતમ વિકાસ વિશે અપડેટ અને સારી રીતે માહિતગાર રહીએ.

સંચારસાથી પોર્ટલમાં સામાન્ય નાગરિક માટે વિવિધ નાગરિક કેન્દ્રિત પહેલો (ખોવાયેલા મોબાઇલ હેન્ડસેટની જાણ કરવા માટે સીઇઆઇઆર પોર્ટલ, તમારા કનેક્શનને જાણવા માટે ટીએએફકોપ)નો અમલ કરવામાં ટેલિકોમ વિભાગ મોખરે છે.
આ સેમિનારનું આયોજન કરીને, અમે અમારા આઈટીઆઈ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સાયબર ડીઓટીની સુરક્ષા અને નાગરિક કેન્દ્રિત પહેલો માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખવા એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1982712)
आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English