ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

મંત્રીમંડળે ભારત અને ત્રિનિદાદ તથા ટોબેગો વચ્ચે ડિજિટલ પરિવર્તન માટે વસતિનાં ધોરણે અમલમાં મૂકાયેલા સફળ ડિજિટલ સોલ્યુશન્સ વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 11 OCT 2023 3:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 11 ઓગસ્ટ, 2023ના રોજ તારીખે હસ્તાક્ષર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને આજે પોતાની મંજૂરી આપી દીધી છે. પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકનાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વસતિનાં ધોરણે અમલમાં મૂકવામાં આવેલા સફળ ડિજિટલ સોલ્યુશન્સ વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર વાત કરવામાં આવી હતી.

વિગતો:

આ સમજૂતીકરારનો આશય બંને દેશોની ડિજિટલ પરિવર્તનકારી પહેલોનાં અમલીકરણમાં ગાઢ સહકાર અને અનુભવો અને ડિજિટલ ટેકનોલોજી-આધારિત સમાધાનો (એટલે કે, આઇએનડીઆઈએસ સ્ટેક)ને પ્રોત્સાહન આપવાનો છે.

આ એમઓયુ બંને પક્ષોનાં હસ્તાક્ષરની તારીખથી અમલમાં આવશે અને 3 વર્ષ માટે અમલમાં રહેશે.

અસર:

ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ના ક્ષેત્રમાં જી2જી અને બી2બી બંનેમાં દ્વિપક્ષીય સહકાર વધારવામાં આવશે.

એમઓયુમાં સહયોગમાં સુધારો કરવાની કલ્પના કરવામાં આવી છે, જે આઇટી ક્ષેત્રમાં રોજગારીની તકો તરફ દોરી જશે.

પાશ્વભાગ:

એમઇઆઇટીવાય આઇસીટી ડોમેનમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા માટે સંખ્યાબંધ દેશો અને બહુપક્ષીય એજન્સીઓ સાથે સહયોગ કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન એમઇઆઇટીવાયએ આઇસીટી ક્ષેત્રમાં માહિતીનાં આદાન-પ્રદાન અને સહકારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશોની તેની સમકક્ષ સંસ્થાઓ/એજન્સીઓ સાથે એમઓયુ/એમઓસી/સમજૂતીઓ કરી છે. આ બાબત ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા વગેરે જેવી વિવિધ પહેલો સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ દેશને ડિજિટલ સ્વરૂપે સશક્ત સમાજ અને નોલેજ ઇકોનોમીમાં પરિવર્તિત કરવાનો છે. આ બદલાતા દાખલામાં, પારસ્પરિક સહકારને વધારવાના ઉદ્દેશ સાથે વેપારની તકો ચકાસવા, શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી અને ડિજિટલ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવાની તાતી જરૂર છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ) ના અમલીકરણમાં તેના નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે અને કોવિડ રોગચાળા દરમિયાન પણ લોકોને સેવાઓની ડિલિવરી સફળતાપૂર્વક પ્રદાન કરી છે. આના પરિણામે, ઘણા દેશોએ ભારતના અનુભવોમાંથી શીખવામાં અને ભારત સાથે એમઓયુ કરવામાં રસ દાખવ્યો છે.

સ્ટેક સોલ્યુશન્સ એ એક ડીપીઆઈ છે જે ભારત દ્વારા જાહેર સેવાઓની એક્સેસ અને ડિલિવરી પ્રદાન કરવા માટે વસ્તીના ધોરણે વિકસિત અને અમલમાં મૂકવામાં આવે છે. તેનો ઉદ્દેશ કનેક્ટિવિટી વધારવાનો, ડિજિટલ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો અને જાહેર સેવાઓની સતત સુલભતાને સક્ષમ બનાવવાનો છે. આ ખુલ્લી ટેકનોલોજી પર નિર્મિત છે, આંતરસંચાલકીય છે અને ઉદ્યોગ અને સમુદાયની ભાગીદારીને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે નવીન અને સર્વસમાવેશક સમાધાનોને પ્રોત્સાહન આપે છે. જો કે, દરેક દેશ ડીપીઆઈના નિર્માણમાં અનન્ય જરૂરિયાતો અને પડકારો ધરાવે છે, જોકે મૂળભૂત કાર્યક્ષમતા સમાન છે, જે વૈશ્વિક સહકારને મંજૂરી આપે છે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1966654) Visitor Counter : 73