સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગ્રામીણ સહકારી બૅન્કોની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

Posted On: 12 AUG 2022 6:28PM by PIB Ahmedabad

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પરિષદો વિવિધ ક્ષેત્રોમાં સહકારના સિદ્ધાંત પર ચાલતી પીએસીએસ અને સહકારી બૅન્કો વચ્ચે કોમન થ્રસ્ટ એરિયા ઊભો કરવામાં મદદ કરે છે અને સહકારી આંદોલન ત્યારે જ વિસ્તૃત થશે જ્યારે દરેકનો થ્રસ્ટ એરિયા સમાન હશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન ગરીબમાં ગરીબ વ્યક્તિને સામેલ કરીને અને ગરીબમાં ગરીબ વ્યક્તિના આર્થિક વિકાસને સામેલ કરીને સર્વસમાવેશક આર્થિક વિકાસ લાવવાનું છે અને આ ફક્ત સહકારી ક્ષેત્ર દ્વારા જ હાથ ધરવામાં આવી શકે છે


જ્યારે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે ત્યારે સહકારી ક્ષેત્રને વિસ્તૃત કરવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં


દેશભરમાં સહકારી ચળવળના સમાન વિકાસ અને વિસ્તરણ માટે આપણી પાસે એક અલગ વ્યૂહરચના હોવી જોઈએ


પીએસીએસ કૃષિ ધિરાણ પ્રણાલીનો આત્મા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ, પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન હાથ ધરવામાં આવ્યું છે જેથી તેમને વધુ પારદર્શક અને સશક્ત બનાવી શકાય

તમામ પંચાયતોમાં પી.એ.સી.એસ સ્થાપવાના ઉદ્દેશ સાથે જિલ્લા અને રાજ્યની સહકારી બૅન્કો પાસે આગામી પાંચ વર્ષ માટે એક વ્યૂહરચના હોવી જોઈએ

પીએસીએસ માનવીય અભિગમ દ્વારા ખેડૂતોને નાણાં પૂરાં પાડવાની ફિલસૂફી સાથે કામ કરે છે, તેથી ખેડૂતોને પીએસીએસ સાથે વધુને વધુ જોડવાનો પ્રયાસ થવો જોઈએ


શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર મોડલ પેટાકાયદા લાવીને પીએસીએસને મજબૂત કરી રહી છે તેમજ પીએસીએસને તેમની વ્યવહારિકતા વધારીને બહુહેતુક બનાવી રહી છે

જેમ જેમ પીએસીએસ વધશે અને મજબૂત થશે, તેમ તેમ જિલ્લા અને રાજ્ય સહકારી બૅન્કો આપમેળે મજબૂત બનશે

નવા પેટા-કાયદાઓ અમલમાં આવ્યા પછી, પીએસીએસ માત્ર કૃષિ નાણાકીય સંસ્થાઓ જ નહીં રહે, પરંતુ તેમનાં કાર્યક્ષેત્રમાં પણ વધારો થશે

 

જો 3 લાખ પીએસીએસનો આધાર બનાવવામાં આવે તો પછી કોઈ પણ સહકારી મંડળીઓનાં વિસ્તરણને અટકાવી શકશે નહીં, અને ગ્રામીણ સહકારી બૅન્કો પણ પીએસીએસ દ્વારા મધ્યમ અને લાંબા ગાળાનાં ધિરાણ માટે નાણાં આપી શકે છે

આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં, આપણે સંકલ્પ કરવો જોઈએ કે સહકારી આંદોલન આવનારાં વર્ષો સુધી ચાલુ રહે

તેનો લક્ષ્યાંક એ હોવો જોઈએ કે પીએસીએસની સંખ્યા 5 ગણી વધારીને સહકારી મંડળીઓ મારફતે કૃષિ ધિરાણ વિતરણને વર્તમાન રૂ. 2 લાખ કરોડથી વધારીને રૂ. 10 લાખ કરોડ કરવામાં આવે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ કોન્ફરન્સ ઑફ રૂરલ કો-ઓપરેટિવ બૅન્કોને સંબોધન કર્યું હતું. શ્રી અમિત શાહે ઉત્કૃષ્ટ રાજ્ય સહકારી બૅન્કો, જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ)ને પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના સહકારિતા મંત્રી શ્રી બી. એલ. વર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પરિષદો વિવિધ ક્ષેત્રોમાં સહકારનાં સિદ્ધાંત પર ચાલતી પીએસીએસ અને સહકારી બૅન્કો વચ્ચે કોમન થ્રસ્ટ એરિયા ઊભો કરવામાં મદદ કરે છે અને સહકારી આંદોલન ત્યારે જ વિસ્તૃત થશે જ્યારે દરેકનો થ્રસ્ટ એરિયા સમાન હશે. તેમણે કહ્યું હતું કે, ઘણી બૅન્કો, જિલ્લા સહકારી બૅન્કો અને પીએસીએસ વિવિધ ક્ષેત્રોમાં સહકારી સિદ્ધાંતનાં આધારે વિવિધ રીતે કામ કરી રહ્યાં છે. જો સહકારી ક્ષેત્રને વિસ્તૃત કરવાના પ્રયાસમાં અને તેની પહોંચ અને ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે અને કૃષિ ક્ષેત્ર અને રાષ્ટ્રની સમૃદ્ધિ વધારવા માટે તેમનો થસ્ટ એરિયા સમાન નથી, તો પછી યોગ્ય પરિણામો દેખાશે નહીં.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સહકારી આંદોલને તેના લગભગ 120 વર્ષ જૂના ઇતિહાસ દરમિયાન ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યોમાં સહકારી આંદોલને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, અન્ય કેટલાંક રાજ્યોમાં સહકારી આંદોલન સંઘર્ષરત છે, જ્યારે અન્ય કેટલાંક રાજ્યોમાં સહકારી આંદોલન ફક્ત પુસ્તકોમાં જ રહ્યું છે. જો સહકારી ચળવળને એકસરખી રીતે વિકસિત કરવી હોય અને તેનો વ્યાપ વધારવો હોય, તો પછી એક અલગ વ્યૂહરચના ઘડવી પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે સહકારિતા મંત્રાલયની રચના કરીને અતિ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ દેશની સહકારી તસવીરને ધ્યાનમાં રાખીને સહકારિતા મંત્રાલય સહકારી મંડળીઓની ભાવનામાં રાજ્યોને સાથે રાખીને ઘણું બધું કરી શકે છે.

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કૃષિ ધિરાણ માળખાને મજબૂત કરવાની સાથે-સાથે તેમાં સુધારાની પણ જરૂર છે. સહકારી મંડળીઓને દરેક ક્ષેત્રમાં લઈ જવા પર કામ કરવાની જરૂર છે અને કૃષિ ધિરાણ ફક્ત આના દ્વારા જ ઉપલબ્ધ થવું જોઈએ. આજે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે અને સહકારી ક્ષેત્રને વિસ્તૃત કરવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે અત્યારથી વધુ સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનું વિઝન ગરીબમાં ગરીબ વ્યક્તિને સામેલ કરીને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિ લાવવાનું અને ગરીબમાં ગરીબ વ્યક્તિનાં આર્થિક વિકાસને સામેલ કરવાનો છે તથા આ કામગીરી સહકારિતા ક્ષેત્ર દ્વારા જ હાથ ધરી શકાશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે દેશમાં લગભગ 8.5 લાખ સહકારી મંડળીઓ છે, જેમાંથી 1.78 લાખ વિવિધ પ્રકારની ક્રેડિટ સોસાયટીઓ છે. કૃષિ ધિરાણનાં ક્ષેત્રમાં 34 રાજ્ય સહકારી બૅન્કો છે, જેમાં 2,000થી વધુ શાખાઓ છે, 351 જિલ્લા સહકારી બૅન્કો 14,000 શાખાઓ સાથે છે અને 95,000 પીએસીએસ છે. જો આપણે આ બધાને સાથે મળીને જોઈએ, તો આપણે જોઈ શકીએ છીએ કે જેમણે સહકારી ક્ષેત્રનું નિર્માણ કર્યું તેઓ એક મજબૂત આધાર છોડી ગયા છે અને આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં આ પાયા પર એક મજબૂત માળખું બનાવવાનો સંકલ્પ હોવો જોઈએ.

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પેક્સ સહકારી કૃષિ ધિરાણ વ્યવસ્થાનો આત્મા છે અને શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પીએસીએસને કમ્પ્યુટરાઇઝેશન મારફતે વધારે પારદર્શક અને સશક્ત બનાવવામાં આવી રહ્યાં છે અને જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી કૃષિ ધિરાણની વ્યવસ્થા સારી રીતે કામ નહીં કરે અને તેની સાથે સાથે તેમનો વ્યાપ વધારવો પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. દેશમાં ત્રણ લાખ પંચાયતો છે અને કુલ ૯૫,૦00 પીએસીએસમાંથી ૬૫,૦૦૦ પંચાયતો સારી રીતે કામ કરી રહી છે, તેમ છતાં લગભગ બે લાખ પંચાયતો એવી છે કે જ્યાં પીએસીએસ અસ્તિત્વમાં નથી. તમામ રાજ્ય અને જિલ્લા સહકારી બૅન્કોનું પ્રથમ કાર્ય દરેક પંચાયતમાં પીએસીએસ રાખવાની પાંચ વર્ષની વ્યૂહરચના તૈયાર કરવાનું હોવું જોઈએ. દરેક જિલ્લા સહકારી બેંકે તેમના વિસ્તારોમાં, દરેક પંચાયતમાં કેવી રીતે પીએસીએસની રચના કરી શકાય તે અંગે પાંચ વર્ષની વ્યૂહરચના હોવી જોઈએ અને દરેક રાજ્ય સહકારી બેંકે આ વ્યૂહરચનાનું નિરીક્ષણ કરવું જોઈએ અને નાબાર્ડે પણ તેની વિવિધ યોજનાઓ સાથે આ વ્યૂહરચનાની પુષ્ટિ કરવી જોઈએ. સહકારિતા મંત્રાલયની રચના પછી, ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલી પ્રથમ યોજના એ છે કે પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન થવું જોઈએ, અને પીએસીએસ, જિલ્લા અને રાજ્ય સહકારી બૅન્કોને ઓનલાઇન જોડવી જોઈએ. પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન આપમેળે તેમના માનવ સંસાધનને અપગ્રેડ કરશે, ફાઇનાન્સના સમજદાર ધોરણો આપમેળે પીએસીએસ પર લાગુ થશે, ઓડિટ વ્યવસ્થા આપમેળે એકાઉન્ટિંગ સિસ્ટમમાં એકીકૃત થઈ જશે અને ચેતવણીઓ આપમેળે જારી કરવામાં આવશે. કમ્પ્યુટરાઇઝેશન ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે જિલ્લા સહકારી બૅન્કો તેને ખૂબ જ તળિયે લઈ જાય. તેમણે જણાવ્યું હતું કે, ઘણાં રાજ્યોએ કમ્પ્યુટરાઇઝેશન પૂર્ણ કર્યું છે, પણ તેમાં એકરૂપતા નથી. દેશમાં કૃષિ ધિરાણ પ્રણાલીને સમાન સોફ્ટવેર હેઠળ લાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, સુધારાની શરૂઆત સહકારી મંડળીઓની અંદરથી જ થવી જોઈએ અને જો તેમના વહીવટમાં સુધારો અને પારદર્શકતા આવશે, તો સહકારી બૅન્કો કે પીએસીએસ સાથે કોઈ અન્યાય થશે નહીં.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, PACSના કાર્યનો વ્યાપ વધારવો પડશે, વધુ ખેડૂતોને PACSના દાયરામાં લાવવાના પ્રયાસો કરવા પડશે. પેક્સ માનવીય અભિગમ દ્વારા ખેડૂતોને નાણાં પૂરાં પાડવાની ફિલસૂફી સાથે કામ કરે છે, તેથી ખેડૂતોને વધુ ને વધુ પીએસીએસ સાથે જોડવાનો પ્રયાસ થવો જોઈએ.

ખેડૂતને માનવીય અભિગમ સાથે નાણાંની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રોફેશનાલિઝમને પણ પેક્સમાં લાવવું પડશે, આજે એવું કોઈ ગામ નથી કે જ્યાં શિક્ષિત બાળકો ન હોય, જ્યાં કમ્પ્યુટરના જાણકાર યુવાનો ન હોય. આપણે પીએસીએસના કર્મચારીઓનાં કૌશલ્યને સુધારવા માટે માનવ સંસાધન નીતિને પણ મજબૂત બનાવવી પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર મોડલ પેટાકાયદા લાવીને પીએસીએસને મજબૂત કરી રહી છે તેમજ પીએસીએસને તેમની વ્યવહારિકતા વધારીને બહુહેતુક બનાવી રહી છે.

ભારત સરકારે તેનું મોડલ પેટાકાયદા તૈયાર કરીને રાજ્યોને મોકલ્યા છે અને લગભગ તમામ રાજ્ય સહકારી બૅન્કો, જિલ્લા સહકારી બૅન્કો અને ઘણી સહકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માગવામાં આવ્યા હતા, જેના પર આગામી પખવાડિયામાં નિર્ણયો લેવામાં આવશે.

પીએસીએસના મોડેલ બાયલોઝ સહકારિતા મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેમણે પરિષદમાં એકઠા થયેલા લોકોને તેનો અભ્યાસ કરવા અને સહકારિતા મંત્રાલયને સૂચનો મોકલવા જણાવ્યું છે. આ પ્રકારની પહેલ લાંબા સમય પછી કરવામાં આવી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તમામ પીએસીએસ (PACS) એક જ મોડેલ પેટા-કાયદા ધરાવે છે. સહકારી પ્રતિનિધિઓએ આ પહેલમાં ભાગ લેવો જોઈએ અને સહકાર આપવો જોઈએ, તે પછી જ પેટા-કાયદાઓ સંપૂર્ણ બનશે. આ પેટાકાયદામાં અનેક પ્રકારની વ્યવસ્થા આપોઆપ થઈ જશે. આ નવા પેટા-કાયદાઓની રજૂઆત સાથે, પીએસીએસ માત્ર કૃષિને જ નાણાં આપશે એટલું જ નહીં, પરંતુ તેમને વધુ વ્યવહારુ બનાવવા માટે ઘણાં નવા ક્ષેત્રો ખોલવામાં આવશે. ઉદાહરણ તરીકે, ગેસ, પાણી વિતરણ, પીસીઓ, સ્ટોરેજ અને એફપીઓ કાર્ય પીએસીએસ દ્વારા કરી શકાય છે. આવા 22 નવા કામોને પીએસીએસના નવા બાયલોઝમાં સામેલ કરીને ભારત સરકારે તેને દરેકને સૂચનો માટે મોકલ્યા છે. જો આ વ્યવસ્થાઓ યોગ્ય રીતે હાથ ધરવામાં આવશે, તો 3 લાખ પીએસીએસને વ્યવહારુ બનાવવું એ કોઈ પડકાર નહીં હોય. જેમ જેમ પીએસીએસ (PACS) વિકસી રહી છે અને મજબૂત બનશે, તેમ તેમ જિલ્લા અને રાજ્ય સહકારી બૅન્કો આપોઆપ મજબૂત બનશે. તેમણે કહ્યું હતું કે, જો 3 લાખ પીએસીએસનો આધાર ઊભો કરવામાં આવે, તો સહકારી ક્ષેત્રને વિસ્તૃત થતાં કોઈ અટકાવી નહીં શકે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર ગ્રામીણ સહકારી બૅન્કોનું વિસ્તરણ કરવાની પણ યોજના ધરાવે છે, જેને ઘણી જગ્યાએ 'ખેતી બૅન્કો' કહેવામાં આવે છે. આજે ગ્રામીણ સહકારી બૅન્કો ખેડૂતોને સીધું ધિરાણ પૂરું પાડે છે અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ સહકારી બૅન્કો પણ પેક્સ દ્વારા મધ્યમ અને લાંબા ગાળાના નાણાંનું વિતરણ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 100 વર્ષમાં સહકારી મંડળીઓનાં ક્ષેત્રમાં ઘણું સારું કામ થયું છે, પણ આટલું પર્યાપ્ત નથી. આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં સંકલ્પ થવો જોઈએ કે, આપણે આગામી 100 વર્ષમાં જે કર્યું છે તેના કરતાં વધુ સારું કામ કરીને સહકારી આંદોલનને આવનારાં વર્ષો સુધી ચાલવા માટે મજબૂત બનાવવું જોઈએ. પેક્સમાં લગભગ 13 કરોડ સભ્યો છે, જેમાંથી 5 કરોડ સભ્યો લોન લે છે અને પેક્સ દર વર્ષે 2 લાખ કરોડ રૂપિયાથી વધુની લોનનું વિતરણ કરે છે. તેમણે કહ્યું હતું કે, જો PACSમાં 5 ગણો વધારો થાય, તો રૂ. 2 લાખ કરોડનો આંકડો રૂ. 10 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ઉદ્દેશ સહકારી મંડળીઓ મારફતે રૂ. 10 લાખ કરોડનું કૃષિ ધિરાણ વહેંચવાનો હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, પેટા-કાયદામાં રાજ્યોને બીમાર પીએસીએસ માટેની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે. માંદા પીએસીએસને લિક્વિડેટ કરીને નવી પીએસીએસ બનાવવી જોઈએ. ખેડૂતોને સહકારી મંડળીઓના લાભથી વંચિત ન રાખવા જોઈએ અને નવા પીએસીએસની રચના માટે રાજ્યોના પેટાકાયદાઓ અને સહકારી કાયદાઓમાં જોગવાઈ કરવી પડશે, તો જ ત્રણ લાખ પીએસીએસનો આંકડો પ્રાપ્ત થશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, 1992થી 2022 સુધી સહકારી મંડળીઓનાં નાણાકીય ભંડોળમાં ઘટાડો થયો છે અને સહકારી મંડળીઓ મારફતે કૃષિ ધિરાણ ઘટી રહ્યું છે તે તમામ માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સહકારિતા મંત્રાલયે ઘણી પહેલ કરી છે. એક સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે, એક ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે જેથી તે બતાવી શકે કે સહકારી ચળવળને ક્યાં વિસ્તૃત કરવાની જગ્યા છે. વિવિધ પ્રકારની સહકારી મંડળીઓનાં ઉત્પાદનોને પીએસીએસથી એપીએસીએસમાં નિકાસ કરવા માટે એક સારું પ્લેટફોર્મ આપનાર એક નિકાસ ગૃહની પણ કલ્પના કરવામાં આવી રહી છે. અમૂલનાં બ્રાન્ડ નેમ હેઠળ કૃષિ કાર્બનિક ઉત્પાદનોનાં માર્કેટિંગની વ્યવસ્થા કરવા માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે સહકારી મંડળીઓમાં નવા પ્રકારના સંવાદની વ્યવસ્થા કરવા માટે એક પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગામડે-ગામડે-જિલ્લા અને રાજ્યથી દિલ્હી સુધી એક મજબૂત કમ્યુનિકેશન પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે. તાજેતરમાં જ પીએસીએસ દ્વારા જીઇએમ પાસેથી ખરીદી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તેનાથી પીએસીએસમાં પારદર્શકતાની સુવિધા મળશે. એક સહકારી નીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેના પર કામ ચાલી રહ્યું છે. આજે જે પરિષદ યોજાઈ રહી છે તેને પરિણામલક્ષી બનાવવા માટે ધારાધોરણો અને કાર્ય સંસ્કૃતિ વિકસાવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તમામ હિતધારકોએ સહકારી આંદોલન માટે ઘણું કર્યું છે અને સહકારી મંડળીઓનો મજબૂત પાયો છે અને આ પાયા પર મજબૂત ભવનનું નિર્માણ કરવાનું કાર્ય આઝાદી કા અમૃત મહોત્સવથી આપણી આઝાદીની શતાબ્દી સુધીનાં વર્ષ સુધી આગામી 25 વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવશે તેમજ ત્રણ લાખ પીએસીએસનાં આપણાં લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે આજથી જ કામ શરૂ થવું જોઈએ.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1851404) Visitor Counter : 307


Read this release in: English , Urdu , Marathi , Hindi