મંત્રીમંડળ

મંત્રીમંડળે કેબિનેટ નોટ “આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવા માટે બંધારણમાં સુધારા”ના સંદર્ભમાં સુધારેલા ઑફીસ મેમોરેન્ડમને મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે કેબિનેટ નોટ, “આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવા માટે બંધારણમાં સુધારા”ના સંદર્ભમાં સુધારેલ ઓફીસ મેમોરેન્ડમને (ઓએમ) મંજુરી આપી દીધી છે. આ ઓએમને 8મી જાન્યુઆરી 2019ના રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

લાભ:

આ મંજૂરી વડે તેવા લોકોને ઉચ્ચ શિક્ષણ અને રોજગાર મેળવવામાં સહાયતા મળશે જે લોકો પોતાની આર્થિક સ્થિતિના લીધે આ સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેનાથી સામાજિક સમાનતાને પ્રોત્સાહન મળશે.

 

J.Khunt/RP



(Release ID: 1563450) Visitor Counter : 146