મંત્રીમંડળ
મંત્રીમંડળે વર્ષ 2017-18 થી 2019-2020નાં સમયગાળા માટે રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ યોજનાને ચાલુ રાખવા માટે મંજૂરી આપી
Posted On:
02 JAN 2019 5:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વર્ષ 2017-2018થી વર્ષ 2019-2020નાં સમયગાળા માટે રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. ઈએફસીની મંજૂરીને અનુરૂપ આ માટે રૂ. 1160 કરોડનાં બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
વિશેષતાઓ -
12મી પંચવર્ષીય યોજના દરમિયાન નાણાં મંત્રાલય અને નીતિ આયોગની સલાહથી યોજનાને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ અંતર્ગત 8 યોજનાઓને ઉપયોજનાઓ સ્વરૂપે રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમને આધિન કરવામાં આવી છે. એનાં કારણે યોજનાઓ વચ્ચે શ્રેષ્ઠ તાલમેળ સ્થાપિત કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત યોજનાઓની કુશળતામાં સુધારો આવ્યો છે અને ઉપલબ્ધ સંસાધનોનાં આધારે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થયાં છે. યોજનાનાં લાભાર્થીઓમાં 15-29 વર્ષની વયજૂથનાં યુવાનો સામેલ છે, જે રાષ્ટ્રીય યુવા નીતિ 2014માં ‘યુવાનો’ની પરિભાષાને અનુરૂપ છે. ખાસ કરીને કિશોરો સાથે સંબંધિત કાર્યક્રમનાં ઘટકોનું વયજૂથ 10-19 વર્ષની છે.
રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ અંતર્ગત નીચેની 8 ઉપયોજનાઓ છે -
- નેહરુ યુવા કેન્દ્ર સંગઠન
- રાષ્ટ્રીય યુવા વાહિની
- રાષ્ટ્રીય યુવા અને કિશોર વિકાસ કાર્યક્રમ
- આંતરરાષ્ટ્રીય સહયોગ
- યુવા છાત્રાલય
- સ્કાઉટ અને ગાઇડ સંગઠનોને સહાયતા
- રાષ્ટ્રીય અનુશાસન યોજના
- viii. રાષ્ટ્રીય યુવા નેતૃત્વ કાર્યક્રમ
પૃષ્ઠભૂમિ -
રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ યોજના, યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રીય ક્ષેત્રીય યોજના છે અને આ 12મી પંચવર્ષીય યોજનાનાં સમયથી ચાલી રહી છે. યોજનાનો ઉદ્દેશ યુવાનોમાં વ્યક્તિત્વ અને નેતૃત્વ ગુણોને વિકસાવવાનો તથા યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટેની કામગીરીઓમાં જોડવાનો છે.
RP
(Release ID: 1558312)
Visitor Counter : 809