પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રૈલા ઓડિંગાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 03 JUL 2018 12:39PM by PIB Ahmedabad

કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા મહામહિમ શ્રી રૈલા ઓડિંગાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કેન્યાના લાંબા સહયોગને યાદ કરતા કહ્યું કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક દાયકા પહેલા તેઓ કેન્યાની યાત્રા પર ગયા હતા. શ્રી ઓડિંગાએ પણ 2009 અને 2012ની પોતાની ભારતની મુલાકાતને યાદ કરી હતી.

બંને નેતાઓએ તાજેતરના વર્ષોમાં ભારત-કેન્યાના સંબંધોની પ્રગતિ, પરસ્પર હિત અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1537450) Visitor Counter : 92