મંત્રીમંડળ

મંત્રીમંડળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ પરની યોજના 12મી યોજનાનાં સમયગાળા ઉપરાંત ચાલુ રાખવા મંજૂરી આપી

Posted On: 22 NOV 2017 4:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે વધુ ત્રણ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20) માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) યોજનાને ચાલુ રાખવાની તથા ઇન્સ્ટિટ્યૂટને રૂ. 18 કરોડની ગ્રાન્ટ આપવાની મંજૂરી આપી છે. તે નાણાકીય વર્ષ 2019-20નાં અંત સુધીમાં સંસ્થાને સ્વનિર્ભર બનાવશે.

અસર:

  • કોર્પોરેટ ગવર્નન્સનાં ક્ષેત્રોમાં સરકારી અને ખાનગી ક્ષેત્રો સાથે ભાગીદારીમાં સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા તાલીમ કાર્યક્રમો, સંશોધનાત્મક કામગીરીઓ અને પ્રોજેક્ટ્સ કૌશલ્ય વધારશે, જેનાં પરિણામે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની રોજગારદક્ષતામાં વધારો થશે.
  • સંસ્થાએ કોર્પોરેટ કાયદાનાં ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સંસ્થા બનવા ભાર મૂક્યો છે, ત્યારે સાથે સાથે તેનાં સંસાધનો અને આવક પણ વધશે.
  • એવો વિચાર કરવામાં આવ્યો છે કે, આઇઆઇસીએ એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થા બનશે, જેથી તે આર્થિક પ્રવૃત્તિ વધારવા વૃદ્ધિનું એન્જિન બનશે.
  • વ્યાવસાયિક સજ્જતામાં વધારો વ્યાવસાયિકોને કોર્પોરેટ જગતનાં નવાં વિકસતાં ક્ષેત્રોમાં રોજગારીની તકો ઝડપવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે, જેમાં વિદેશમાં ઊભી થતી તકો સામેલ છે.

 

પૃષ્ઠભૂમિ:

આઇઆઇસીએમાં નેશનલ ફાઉન્ડેશન ફોર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (એનએફસીએસઆર) કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલો માટે જવાબદાર છે. ફાઉન્ડેશન કંપની કાયદા, 2013ની નવી જોગવાઈઓ આસપાસ ડિઝાઇન કરેલ છે. એનએફસીએસઆરે સીએસઆરનાં ક્ષેત્રમાં કોર્પોરેટ સાથે ભાગીદારીમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે, જે સામાજિક સર્વસમાવેશકતાલક્ષી છે.

 

આઇઆઇસીએ થિંક-ટેંક છે તથા કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંબંધિત નીતિનિર્માતાઓ, નિયમનકારો તેમજ અન્ય હિતધારકો માટે તાર્કિક નિર્ણયપ્રક્રિયાને મદદ કરવા આંકડા અને જાણકારીનો ખજાનો છે. તે કોર્પોરેટ કાયદા, કોર્પોરેટ ગવર્નન્સ, સીએસઆર, એકાઉન્ટિંગનાં ધારાધોરણો, રોકાણકારોમાં જાગૃતિ વગેરે ક્ષેત્રમાં વિવિધ હિતધારકોને સેવાઓ પ્રદાન કરે છે. આઇઆઇસીએની વિવિધ પ્રવૃત્તિઓ પ્રથમ પેઢીનાં ઉદ્યોગસાહસિકો અને લઘુ વ્યાવસાયિકોને એકથી વધારે શાખામાં કુશળતા હાંસલ કરવામાં મદદ કરે છે, કારણ કે તેઓ મેનેજમેન્ટ, કાયદા, એકાઉન્ટન્સી વગેરેમાં અલગથી નિષ્ણાતોને રોજગારી આપી શકવા સક્ષમ હોતા નથી.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1510508) Visitor Counter : 63


Read this release in: English , Tamil