પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામના મુખ્યમંત્રી સાથે રાજ્યમાં પૂરની સ્થિતિના સંબંધમાં વાત કરી

Posted On: 14 AUG 2017 3:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અને આજે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ સાથે રાજ્યમાં પૂરની સ્થિતિ સાથે સંબંધિત વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્થિતિ પર સતત બારીક નજર રાખી રહી છે અને રાજ્યના વિસ્તારોમાં પ્રવર્તમાન પૂરની સ્થિતિમાં તમામ પ્રકારની સહાય પ્રદાન કરવામાં આવી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારથી આસામમાં પૂર આવ્યું છે, ત્યારથી કેન્દ્ર સરકાર સ્થિતિ પર સતત બારીક નજર રાખી રહી છે.

 

રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રવર્તમાન પૂરીની સ્થિતિનો સામનો કરવા આસામને શક્ય તમામ સહાય કરવામાં આવે છે.

 

TR/GP



(Release ID: 1499531) Visitor Counter : 108


Read this release in: English