રાષ્ટ્રપતિ સચિવાલય

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતીના અવસર પર રાષ્ટ્રપતિનો સંદેશ

Posted On: 08 MAY 2017 5:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 08-05-2017

 

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતી (9 મે, 2017)ની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ પોતાના સંદેશમાં કહ્યું છે, “”

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતીના અવસર પર હું મારા દેશવાસિઓની સાથે ભારતની એ મહાન વ્યક્તિત્વને મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું જેમણે રાષ્ટ્રીય ગીતની રચના કરી અને સાહિત્યમાં એશિયાનો પહેલો નોબલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. એક મહાન બુદ્ધિજીવી ટાગોર પોતાની સંસ્કૃતિ અને સાહિત્યની બાબતમાં જ્ઞાનના આદાન-પ્રદાનના માધ્યમથી સભ્યતાઓના મધ્ય વાતચીતના વિચારથી મંત્રમુગ્ધ હતા. તેઓ એવા સમયે પોતાના સંદેશના એક આદર્શ રાજદૂત હતા, જ્યારે બહારની દુનિયામાં ભારતની બાબતમાં ઘણું ઓછું જ્ઞાન હતું.

ગુરુદેવ ટાગોરે શાંતિ અને સમાજનું દ્રષ્ટિકોણ સ્થાપિત કર્યું જેની પ્રાસંગિકતા વૈશ્વિક અપીલમાં સતત ચાલુ છે. જાતિ, પંથ અને રંગથી ભરેલી દુનિયામાં ગુરુદેવ ટાકોરે વિવિધતા, મુક્ત મન, સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વના આધાર પર એક નવી વિશ્વ વ્યવસ્થા માટે આંતરરાષ્ટ્રીયવાદને પ્રોત્સાહન આપ્યું.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર એક મહાન આત્મા હતા, જેમણે માત્ર પોતાના જીવનકાળને જ પ્રકાશમય નથી બનાવ્યું, પરંતુ તેઓ આજે પણ માનવતા માટે પ્રેરણા સ્ત્રોત બનેલા છે. આવો, આપણે આ અવસરનો ટાગોરના માનવતાની એકતાના વિચાર થી પ્રેરણા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરીએ.”

 

AP/J.Khunt/GP                              



(Release ID: 1489466) Visitor Counter : 149


Read this release in: English