ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો


ભારતીય જીવન-પદ્ધતિ, જીવન મૂલ્યો અને પરંપરાઓ જ ગાંધીજીના સંદેશનો મૂળ આધાર છે, તેથી તેમના સંદેશાઓ ક્યારેય કાળબાહ્ય નહીં થાય

18 ઓક્ટોબર 1920ના રોજ સ્થપાયેલી 'ગુજરાત વિદ્યાપીઠ' નિરંતર પ્રયોગોના માધ્યમથી ભારતીય શિક્ષણ વ્યવસ્થાને વિકસિત કરવાની પ્રયોગશાળા બની

મારી માતાએ મને જીવનભર ખાદી પહેરવાનો સંકલ્પ કરાવ્યો: ગૃહ મંત્રી અમિત શાહ

2013-14માં ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર 31 હજાર કરોડ રૂપિયા હતું, જે 2025-26માં વધીને 1 લાખ 87 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું

હાથને કૌશલ્ય, હૃદયને સંવેદના અને મગજને જ્ઞાન સાથે વિવેક પણ આપે તે જ શિક્ષણ છે

ગાંધીજીએ ધર્માંતરણને પાપ ગણાવ્યું અને દરેક વ્યક્તિને સ્વધર્મ અનુસાર જીવવા માટે પ્રેરિત કર્યા

ગાંધીજીએ 'નવનિર્માણ' નહીં, 'પુનઃનિર્માણ'ની વાત કહી, આ જ ભાવથી મોદી સરકાર સંસ્કૃતિ, સમૃદ્ધિ, સુરક્ષા, આત્મનિર્ભરતા અને નેતૃત્વમાં નૈતિકતાને આધાર બનાવીને દેશને આગળ વધારી રહી છે

ગાંધીજીનો વિચાર હતો કે સ્વતંત્રતા ત્યાં સુધી અપૂર્ણ રહેશે જ્યાં સુધી આપણી ભાષા, સંસ્કૃતિ અને શ્રમ રાષ્ટ્રીય ન હોય, સ્વભાષા વિના સ્વરાજ ન મળી શકે

યુવાનોને આગ્રહ - લક્ષ્ય માત્ર પોતાના માટે નહીં, દેશ, સમાજ અને ગરીબો માટે નક્કી કરો, પછી ગમે તેટલી મુશ્કેલી આવે, નિરાશા ક્યારેય નહીં આવે

"હું મારી ભાષામાં બોલીશ તો નાનો થઈ જઈશ" - આ ભાવથી મોટું કોઈ પાપ ન હોઈ શકે, ભાષા જ આપણને દેશના સંસ્કાર, ઈતિહાસ અને આપણા મૂળિયાં સાથે જોડે છે

ગાંધીજીએ ગ્રામ સ્વરાજ, ગ્રામ સમૃદ્ધિ અને સહકારિતા પર ભાર મૂક્યો હતો, મોદી સરકાર આ ત્રણેય દિશાઓમાં નવા સિરેથી અનેક કાર્યો કરી રહી છે

પોસ્ટેડ ઓન: 27 AUG 2026 8:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારંભને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

WhatsApp Image 2026-08-27 at 20.23.12.jpeg

પદવીદાન સમારંભને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આજે ગુજરાત વિદ્યાપીઠમાંથી 900 વિદ્યાર્થીઓ પદવી લઈને સામાજિક જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે અને આ આ વિદ્યાર્થીઓના જીવનની એક અમૂલ્ય ક્ષણ છે.

શ્રી અમિત શાહે કહ્યું કે તેઓ બાળપણથી જ મહાત્મા ગાંધીના પ્રશંસક રહ્યા છે. તેમની માતા પણ મહાત્મા ગાંધીની અનન્ય અનુયાયી રહી છે. શ્રી શાહે કહ્યું કે તેમણે પોતાના જીવનના પ્રારંભિક સમય સુધી ખાદી વણી છે અને સૂતર પણ કાંત્યું છે. તેમણે કહ્યું કે તેમની માતાએ તેમની પાસેથી જીવનભર ખાદી પહેરવાનો સંકલ્પ લીધો છે.

WhatsApp Image 2026-08-27 at 20.24.16.jpeg

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત વિદ્યાપીઠ જ તે સ્થાન છે, જ્યાં સ્વતંત્રતા સંગ્રામમાં દેશને આઝાદી અપાવવા માટે વ્યુહરચના બનતી હતી અને જ્યાં આચાર્ય જે. બી. કૃપલાણી અને કાકા સાહેબ કાલેલકર જેવા મહાપુરુષોએ ભારતીયતા અને સ્વભાષા માટે જનતાને જાગરૂક કરવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠનો પાયો નાખતી વખતે નક્કી કર્યું હતું કે ભારત આઝાદ થયા પછી ગુજરાત વિદ્યાપીઠ જ ભારતીય શિક્ષણ પદ્ધતિનું મોડેલ બનાવશે.

શ્રી અમિત શાહે ગુજરાત વિદ્યાપીઠમાંથી આજે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ વિદ્યાપીઠનું પ્રાંગણ છોડતા પહેલાં પોતાના જીવનનું લક્ષ્ય ચોક્કસ નક્કી કરે. લક્ષ્ય નક્કી કરતી વખતે મનમાં એ બોજ ન હોવો જોઈએ કે નક્કી કરેલું લક્ષ્ય પૂરું થશે કે નહીં. તેમણે કહ્યું કે ક્યારેય એ ન વિચારવું જોઈએ કે કામ થઈ શકશે કે નહીં, પરંતુ એ વિચારવું જોઈએ કે કામ કરવા જેવું છે કે નહીં.

WhatsApp Image 2026-08-27 at 20.24.45.jpeg

ગૃહ મંત્રી શ્રી અમિત શાહે વિદ્યાર્થીઓને કહ્યું કે લક્ષ્ય ક્યારેય પોતાના માટે નક્કી ન કરવું જોઈએ, પરંતુ દેશ, સમાજ, જનતા અને ખાસ કરીને ગરીબો માટે નક્કી કરવું જોઈએ. જો લક્ષ્ય સમાજ અને દેશ માટે નક્કી કરવામાં આવ્યું છે, તો વિજય-પરાજયનો બોજ તમારા પર નહીં રહે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, નિરાશા ક્યારેય ઉત્પન્ન નહીં થાય. જો લક્ષ્ય પોતાના માટે અને પોતાના પરિવાર માટે નક્કી કરશો, તો મુશ્કેલીઓમાં નિરાશા પણ આવશે અને તમે તમારા રસ્તા પરથી ભટકી પણ શકો છો. શ્રી શાહે પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે, પરંતુ ક્યારેય નિરાશા ઉત્પન્ન થઈ નથી. તેમણે કહ્યું કે તેનું કારણ એ હતું કે તેમણે જે લક્ષ્યો નક્કી કર્યા હતા, તે ન તો તેમના માટે હતા અને ન તો તેમના પરિવાર માટે હતા. આ જ કારણે કામ કરવાનો ઉત્સાહ હંમેશા જળવાઈ રહ્યો. તેમણે કહ્યું કે નિરાશ કરવાના લાખો પ્રયત્નો પછી પણ તેઓ ક્યારેય નિરાશ ન થયા.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણા મહાપુરુષોને વાંચ્યા, સમજ્યા અને તેમના વિચારોને આત્મસાત કર્યા. પરંતુ મહાત્મા ગાંધીજીનો સંદેશ તે સમયે પણ પ્રાસંગિક હતો, આજે પણ છે અને આવનારા 100 વર્ષો સુધી પ્રાસંગિક રહેશે. તેમણે કહ્યું કે ગાંધીજીનો સંદેશ આખી દુનિયાને કલ્યાણનો માર્ગ બતાવે છે. ભારતીય જીવન-પદ્ધતિ, ભારતીય મૂલ્યો અને પરંપરાઓ જ ગાંધીજીના સંદેશનો મૂળ આધાર છે, તેથી આ ક્યારેય અપ્રાસંગિક નહીં થાય.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે ગુજરાત વિદ્યાપીઠમાંથી 900 વિદ્યાર્થીઓ પદવી અને 11 ગોલ્ડ મેડલ લઈને નીકળી રહ્યા છે. તેમને આગળ જતાં અનેક પારિવારિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ નિત્ય સાધના અને સ્વાધ્યાયથી ઉકેલ નીકળશે. તેમણે કહ્યું કે ગુજરાત વિદ્યાપીઠ ગાંધીની બુનિયાદી તાલીમ — ગ્રામ-કેન્દ્રિત વિકાસ અને ‘સ્વ’ થી ‘પર’ ની વિચારસરણી એટલે કે પોતાની જગ્યાએ બધાનું વિચારવાના શિક્ષણ પર આધારિત છે. તેમણે કહ્યું કે ભારત પાછા ફર્યા પછી મહાત્મા ગાંધીએ ગોપાલ કૃષ્ણ ગોખલેની સલાહ માનીને આખા દેશનો ભ્રમણ કર્યો હતો. આટલી ભિન્ન-ભિન્ન ભાષાઓ, બોલીઓ, પહેરવેશ, ખાન-પાન અને ધર્મ હોવા છતાં જ્યારે તેઓ પાછા આવ્યા, ત્યારે ચંપારણમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જીને તેમણે કહ્યું હતું કે તેમણે આ દેશમાં એક અદ્ભુત એકાત્મકતાના દર્શન કર્યા છે. આ જ એકાત્મતાને અનેક પ્રયોગોના માધ્યમથી તેમણે ધરાતલ પર ઉતારવાનું કાર્ય કર્યું અને ગુજરાત વિદ્યાપીઠ આની પ્રયોગશાળા બની. શ્રી શાહે કહ્યું કે ગાંધીજીના વિચારો અને માર્ગદર્શનને અનુરૂપ 18 ઓક્ટોબર 1920ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી.

શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજીનું માનવું હતું કે સ્વાધીનતા ત્યાં સુધી અપૂર્ણ છે, જ્યાં સુધી આપણી ભાષા, સંસ્કૃતિ, શ્રમ અને ઉદ્દેશ્ય રાષ્ટ્રહિત સાથે જોડાયેલા ન હોય. તેમનું માનવું હતું કે સ્વભાષા નથી તો સ્વરાજ ક્યારેય મળી જ ન શકે. આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ સાથે જો આપણે જોડાયેલા નથી તો સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. જો આપણો શ્રમ અને આપણો ઉદ્દેશ્ય, આપણા દેશ સાથે જોડાયેલો નથી તો સ્વતંત્રતા મળવા છતાં પણ આપણે તેની રક્ષા નહીં કરી શકીએ.

WhatsApp Image 2026-08-27 at 20.25.03.jpeg

ગૃહ મંત્રીએ કહ્યું કે હાથ, હૃદય અને મગજના સંકલનથી રાષ્ટ્રનું પુનઃનિર્માણ થાય, એ જ શિક્ષણનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. એવું શિક્ષણ હોય, જે હાથોને કૌશલ્ય આપે, હૃદયમાં સંવેદનશીલતા જગાડે અને મગજને જ્ઞાન સાથે વિવેક અપનાવવા માટે ખોલે. માત્ર જ્ઞાનથી ભરેલું મગજ અહંકારને જન્મ આપે છે, પરંતુ જ્ઞાન અને વિવેકથી યુક્ત મગજ વિનમ્રતા અને વિદ્વત્તાનો વિકાસ કરે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે નવી શિક્ષણ નીતિ 2020 પાંચ સ્તંભો પર ટકેલી છે — માતૃભાષા, કૌશલ્ય, બહુ-વિષયક અધ્યયન, ભારતીય જ્ઞાન પરંપરા અને સમગ્ર વ્યક્તિત્વ વિકાસ. આ એક પ્રકારે એ જ શિક્ષણ પદ્ધતિ છે, જે ભારતે સદીઓ સુધી દુનિયાને આપી અને હવે એ જ શિક્ષણ પદ્ધતિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી આપણા યુવાનો માટે પાછી લઈને આવ્યા છે. તેમણે કહ્યું કે મૂળ તત્વને બદલ્યા વિના વિશ્વભરની આધુનિકતાને નવી શિક્ષણ નીતિમાં સમાહિત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજીએ 7 સામાજિક પાપ બતાવ્યા છે. જો આ 7 સામાજિક પાપોથી બચી શકાય તો સમાજની 90% બુરાઈઓને સમાપ્ત કરી શકાય છે. આમાં સિદ્ધાંત-વિહીન રાજનીતિ, નૈતિકતા-વિહીન વેપાર, શ્રમ-વિહીન ધન, વિવેક-વિહીન ભોગ, ચરિત્ર-વિહીન જ્ઞાન, માનવતા-વિહીન વિજ્ઞાન અને ત્યાગ-વિહીન ઉપાસના સામેલ છે. તેમણે કહ્યું કે આજે તમામ યુવાનોએ આ સાત સામાજિક પાપ હંમેશા યાદ રાખવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે કોઈ મહાપુરુષ નથી કે આમાંથી કોઈ પાપ આપણાથી ક્યારેય ન થાય. પરંતુ જો આનું ભાન રહેશે, તો કરતી વખતે આપણે અચકાઈશું, અટકીશું; અને ક્યારેક કરવું પડી જાય, તો તેનું પ્રાયશ્ચિત પણ કરી લઈશું.

શ્રી અમિત શાહે કહ્યું કે મહાત્મા ગાંધીએ 11 સૂત્રોનું વ્રત લેવડાવ્યું હતું, જેમાં અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શરીરશ્રમ, અસ્વાદ, અભય, સર્વધર્મસમભાવ, સ્વદેશી અને અસ્પૃશ્યતા-નિવારણ સામેલ હતા. આ 11 સૂત્રો આજે પણ પ્રાસંગિક છે અને આનું પાલન કરતા આપણે આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે ગાંધીજીએ ધર્માંતરણને પાપ બતાવ્યું હતું. સ્વધર્મ અનુસાર જીવવાની પ્રતિજ્ઞા આજે વિદ્યાર્થીઓએ પણ લીધી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ખાદી માત્ર એક વસ્ત્ર કે આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ આ વિચાર છે કે હું મારા જીવનની દરેક પ્રવૃત્તિમાં સ્વદેશીની ચિંતા કરીશ. તેમણે કહ્યું કે 2013-14માં ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર 31 હજાર કરોડ રૂપિયા હતું, જે 2025-26માં વધીને 1 લાખ 87 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. તેમણે કહ્યું કે ગાંધીજીએ સ્વચ્છતા પર આગ્રહ રાખ્યો અને આજે દેશમાં એવું એક પણ ઘર નથી, જ્યાં શૌચાલય ન હોય. તેમણે કહ્યું કે મોદી જીએ નવી પેઢીમાં સ્વચ્છતાના સંસ્કારને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું.

શ્રી અમિત શાહે કહ્યું કે સ્વભાષાના વિષયમાં દુનિયાની કોઈ પણ ભાષા શીખવામાં કોઈ વાંધો નથી. પરંતુ એ વિચારવું કે હું મારી ભાષામાં બોલીશ તો નાનો થઈ જઈશ, આનાથી મોટું પાપ બીજું ન હોઈ શકે. ભાષા જ આપણને દેશના સંસ્કાર, ઈતિહાસ અને મૂળિયાં સાથે જોડે છે. એટલા માટે ગાંધીજીએ સ્વભાષા પર પણ ભાર મૂક્યો. ગ્રામ સ્વરાજ, ગ્રામ સમૃદ્ધિ અને સહકારિતા પર પણ તેમણે ભાર આપ્યો. મોદી જીની સરકાર આ ત્રણેય પર નવા સિરેથી કામ કરી રહી છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે ગુલામીના કાળમાં તૂટી-તૂટીને પણ ગાંધીજીએ હંમેશા દેશના ‘પુનઃનિર્માણ’ શબ્દનો પ્રયોગ કર્યો, ‘નવનિર્માણ’ નો નહીં. ગાંધીજીનું માનવું હતું કે સિદ્ધાંતો એ જ રહેશે જે હજારો વર્ષોથી ચાલ્યા આવે છે; પરંતુ આપણે આધુનિક બનીશું અને પુનઃનિર્માણ કરીશું. શ્રી શાહે કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં દેશ પુનઃનિર્માણના માર્ગ પર ચાલી નીકળ્યો છે. દેશનું સામર્થ્ય, સમૃદ્ધિ, સુરક્ષા, આત્મનિર્ભરતા અને નેતૃત્વમાં નૈતિકતા — આ સિદ્ધાંતોને મૂળ બનાવીને મોદી જીની સરકારે 2014 થી 2026 સુધી ચાલવાનો સફળ પ્રયાસ કર્યો છે. જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા, ત્યારે તેમણે દેશના યુવાનો સામે એક સંકલ્પ મૂક્યો કે 2047માં દેશની આઝાદીની શતાબ્દી વખતે ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વમાં સર્વપ્રથમ હોવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે સર્વપ્રથમ હઈશું તો માત્ર પોતાની ચિંતા નહીં કરીએ, આખા બ્રહ્માંડની ચિંતા કરીશું. આપણે શક્તિશાળી પણ હઈશું, પરંતુ શક્તિનો ઉપયોગ વિવેક સાથે થશે. આપણે સમૃદ્ધ હઈશું, પરંતુ એ સમૃદ્ધિ દેશના દરેક નાગરિક અને દુનિયાભરના દરેક પીડિત માટે હશે. આ જ પરિકલ્પના સાથે મોદી જીએ 2047ના ભારતની કલ્પના આજના યુવાનો સામે મૂકી છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2303960) મુલાકાતી સંખ્યા : 47
આ રીલીઝ વાંચો: English , हिन्दी