ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહાદેવ એપ ગેમ્બલિંગ કેસમાં સીબીઆઈએ 06 ચાર્જશીટ દાખલ કરી

પોસ્ટેડ ઓન: 09 JUL 2026 5:18PM by PIB Ahmedabad

મહાદેવ એપ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) 06 આરોપીઓ જેવા કે અસીમ દાસ, રોહિત ગુલાટી, વિકાસ છાપરિયા, અનિલ ધમ્માણી, વિશાલ આહુજા, ધીરજ આહુજા વિરુદ્ધ પીસી એક્ટ (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ), 1988 અને આઈપીસી (IPC) હેઠળ છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ગુનાહિત કાવતરાના ગુનાઓ માટે ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ મુખ્ય કિંગપિન (સુત્રધાર) સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ તેમજ અન્ય લોકો, જેમના વિરુદ્ધ અગાઉ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, તેમના વિરુદ્ધ વધારાના પુરાવા પણ રજૂ કર્યા છે.

મહાદેવ એપના અન્ય કેસમાં, સીબીઆઈએ 66 આરોપીઓ વિરુદ્ધ 05 ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ સહિત બેટિંગ સિન્ડિકેટ પેનલના સભ્યોનો સમાવેશ થાય છે કે જેમના દ્વારા ગુનાની કમાણી (પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ) ને અન્યત્ર વાળવામાં આવી હતી. 05 ચાર્જશીટ આઈપીસી (IPC) અને છત્તીસગઢ જુગાર નિષેધ અધિનિયમ હેઠળના ગુનાઓ માટે દાખલ કરવામાં આવી હતી.

મહાદેવ એપ દેશમાં પર્દાફાશ થયેલા સૌથી મોટા ગેરકાયદેસર સટ્ટાબાજીના સિન્ડિકેટ્સમાંનું એક છે, જે ભારતની બહારની ધરતી પરથી ચલાવવામાં આવતું હતું. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા લાખો યુઝર્સ સુધી પહોંચીને આનું એક દેશવ્યાપી નેટવર્ક ઊભું કર્યું હતું. તપાસમાં સાબિત થયું છે કે સિન્ડિકેટ દેશભરમાં ગેરકાયદેસર સટ્ટાબાજીની પેનલો ચલાવતું હતું, યુઝર્સની નોંધણી કરતું હતું અને ગેમ્સ તથા સટ્ટાબાજીના બજારો ચલાવતું હતું, જેનાથી ગેરકાયદેસર નફો મેળવવામાં આવતો હતો અને ત્યારબાદ મ્યુલ એકાઉન્ટ્સની જાળવણી દ્વારા તે નાણાંની હેરાફેરી કરીને આખરે ફંડ વિદેશ ટ્રાન્સફર કરવામાં આવતું હતું. ગુનાની કમાણીનો એક ભાગ સરકારી કર્મચારીઓને પ્રોટેક્શન મની તરીકે ચૂકવવામાં આવતો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સ અને તેમના કેટલાક સહયોગીઓ થોડા વર્ષો પહેલા પશ્ચિમ એશિયાના દેશોમાં નાસી ગયા છે અને ભારતની બહારથી નેટવર્ક ચલાવવાનું ચાલુ રાખ્યું છે.

વિદેશ ગયેલા 04 મુખ્ય આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે. તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

સિન્ડિકેટના સંપૂર્ણ ફેલાવા તેમજ તેના રાજકીય અને અમલદારશાહી સંરક્ષણ (આશ્રય) નો પર્દાફાશ કરવા અને કેસમાં સંકળાયેલા અન્ય તમામ આરોપીઓને ન્યાયના કઠેરામાં લાવવા માટે વધુ તપાસ ચાલુ છે. ભવિષ્યમાં વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.


(રીલીઝ આઈડી: 2282902) મુલાકાતી સંખ્યા : 62
આ રીલીઝ વાંચો: English