સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
બાબુ જગજીવન રામની 40મી પુણ્યતિથિ નિમિત્તે નવી દિલ્હીમાં શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
06 JUL 2026 9:38PM by PIB Ahmedabad
બાબુ જગજીવન રામની 40મી પુણ્યતિથિ નિમિત્તે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ કાર્યરત બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્ડેશન (BJRNF) દ્વારા આજે નવી દિલ્હીના દિલ્હી ગેટ સ્થિત સમતા સ્થળ ખાતે શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી 6, કૃષ્ણા મેનન માર્ગ, નવી દિલ્હી ખાતે સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, માનનીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર, માનનીય પૂર્વ લોકસભા અધ્યક્ષ શ્રીમતી મીરા કુમાર, માનનીય રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ફાઉન્ડેશનના હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમારોહમાં સંસદ સભ્યો, અગ્રણી મહાનુભાવો અને બાબુ જગજીવન રામના અનુયાયીઓએ પણ હાજરી આપી હતી.
બાબુ જગજીવન રામ એક પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્ય સેનાની, દૂરદર્શી રાજનેતા અને પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા હતા જેમણે પોતાનું જીવન વંચિત સમુદાયોના ઉત્થાન અને સામાજિક ન્યાયની પ્રગતિ માટે સમર્પિત કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે 35 વર્ષની તેમની વિશિષ્ટ જાહેર સેવા દરમિયાન તેમણે ભારતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
કેન્દ્રીય અન્ન અને કૃષિ મંત્રી તરીકે, તેમણે હરિત ક્રાંતિને આગળ ધપાવવામાં અને દેશની ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સંરક્ષણ મંત્રી તરીકે, તેમના અનુકરણીય નેતૃત્વએ ભારતની ઐતિહાસિક જીત અને બાંગ્લાદેશના ઉદયમાં યોગદાન આપ્યું હતું.
બાબુ જગજીવન રામનું જીવન અને વારસો રાષ્ટ્ર નિર્માણ, સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશી વિકાસ પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા દ્વારા પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્ડેશને એક સમાન અને સમાવેશી સમાજના તેમના આદર્શો અને વિઝનને આગળ ધપાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.



SM/IJ/JD
(रिलीज़ आईडी: 2281859)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English