PIB Headquarters
ઓલ ચિકી લિપિ
ભાષાકીય સશક્તિકરણની સદી
પોસ્ટેડ ઓન:
16 FEB 2026 4:16PM by PIB Ahmedabad
|
મુખ્ય મુદ્દાઓ
|
- સંસ્કૃતિ મંત્રાલય ઓલ ચીકી લિપિની 100મી વર્ષગાંઠની ઉજવણી માટે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરી રહ્યું છે, જે 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ નવી દિલ્હીમાં યોજાશે.
- ઓલ ચિકી લિપિના સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારત સરકારે એક સ્મૃતિ સિક્કો અને સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પાડી છે.
- 1925માં પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા સંથાલી ભાષા માટે ઓલ ચીકી લિપિ બનાવવામાં આવી હતી, જેને પાછળથી ૨૦૦૩માં ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં માન્યતા આપવામાં આવી હતી.
- આ સ્ક્રિપ્ટમાં 30 અક્ષરોનો સમાવેશ થાય છે જેનો હેતુ સંથાલી ભાષાના ધ્વનિવિજ્ઞાનને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરવાનો છે.
|
પ્રસ્તાવના

સદીઓથી જ્ઞાન અને સાંસ્કૃતિક સ્મૃતિ લેખિત સ્વરૂપને બદલે મૌખિક રીતે પ્રસારિત થતી હતી.ભૂતકાળની લોકવાયકાઓ, ગીતો, વિધિઓ અને વાર્તા કહેવાની સમૃદ્ધ પરંપરાઓમાં ઊંડે ઊંડે મૂળ ધરાવતી સંથાલી ભાષાએ એક જીવંત મૌખિક વારસા દ્વારા પોતાની સાતત્યતા જાળવી રાખી, જેણે પેઢીઓ સુધી તેની ઓળખ જાળવી રાખી.
ઓલ ચિકી એ સંથાલી ભાષાની સત્તાવાર લિપિ છે, જે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહાર સહિત સમગ્ર ભારતમાં વ્યાપકપણે બોલાતી ભારતની અગ્રણી આદિવાસી ભાષાઓમાંની એક છે.ઑસ્ટ્રોએશિયાટિક ભાષા પરિવારના એક ભાગ તરીકે, સંથાલી ભાષા ઐતિહાસિક રીતે આ મૌખિક પરંપરાઓ દ્વારા સમૃદ્ધ થઈ છે.જોકે, આ શક્તિએ સાંસ્કૃતિક સાતત્ય સુનિશ્ચિત કર્યું, ત્યારે પ્રમાણિત લિપિના અભાવે દસ્તાવેજીકરણ, ઔપચારિક શિક્ષણ અને સાહિત્યિક વિકાસ માટે નોંધપાત્ર પડકારો ઉભા કર્યા.
ઓલ ચિકી લિપિના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરતા, ઉદ્ઘાટન પ્રસંગે તેના વારસાનું સન્માન કરવા માટે મુખ્ય મહાનુભાવો અને વિવિધ સ્મૃતિ પહેલો રજૂ કરવામાં આવી.
|
ઓલ ચિકી લિપિના શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ
સંસ્કૃતિ મંત્રાલય, ફાગુન (માસિક સંથાલી અખબાર) ના સહયોગથી, પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા સર્જિત ઓલ ચિકી લિપિની શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ નવી દિલ્હીના ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કરી રહ્યું છે.
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી રહ્યા છે.કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી જુઅલ ઓરામ અને કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો
- ઓલ ચિકી લિપિ પર વિશેષ પ્રદર્શન
- ઓલ ચિકી લિપિ પર બનેલી ટૂંકી ફિલ્મનું પ્રદર્શન
- સ્મારક સિક્કાનું વિમોચન
- લિપિની સદીની ઉજવણી કરતી સ્મારક ટપાલ ટિકિટનું પ્રકાશન.
- સાંસ્કૃતિક કાર્યક્રમ
|
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
20મી સદી પહેલા, સંથાલી ભાષા રોમન, બંગાળી, ઉડિયા અને દેવનાગરી જેવી વિવિધ અપનાવાયેલી લિપિઓનો ઉપયોગ કરીને લખાતી હતી. આ લિપિઓએ મર્યાદિત લેખિત અભિવ્યક્તિને સુગમ બનાવી, તેથી સંથાલી ભાષાના વિશિષ્ટ ધ્વનિવિજ્ઞાન લક્ષણોને ચોકસાઈપૂર્વક રજૂ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી ન હતી.ભાષામાં ગ્લોટલ સ્ટોપ (કંઠ્ય ધ્વનિ) અને ચોક્કસ સ્વર પેટર્ન જેવા અનોખા અવાજોનો સમાવેશ થાય છે, જેને બાહ્ય લેખન પ્રણાલીઓનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક રજૂ કરવા મુશ્કેલ બન્યું છે.આના પરિણામે, ઉચ્ચારણ અને અર્થમાં વારંવાર વિકૃતિઓ સર્જાતી હતી, જેના કારણે શૈક્ષણિક સંદર્ભોમાં અવરોધો ઉભા થતા હતા અને ભાષાના વ્યવસ્થિત વિકાસ અને સંરક્ષણને અવરોધતું હતું.
ઓલ ચિકી ચળવળના કેન્દ્રમાં એ દૂરંદેશી વ્યક્તિ છે જેમણે સંથાલીને મૌખિક પરંપરામાંથી લિખિત વારસામાં રૂપાંતરિત કરી.
|
પંડિત રઘુનાથ મુર્મુ: ઓલ ચિકીના સર્જક

સાંથાલી સમુદાયના પૂજનીય વ્યક્તિત્વ ગુરુ પંડિત રઘુનાથ મુર્મુનો જન્મ 1905માં ઓડિશાના મયુરભંજ જિલ્લાના દાંડબોસ ગામમાં થયો હતો.નાનપણથી સંથાલી પરંપરાઓમાં તેઓ ઊંડાણપૂર્વક રાચ્યા હતા. પોતાની ભાષાને એક આગવી લેખિત ઓળખ આપવાના ધ્યેયથી તેઓ પ્રેરાયા હતા.આ દ્રષ્ટિને કારણે ઓલ ચિકી લિપિની રચના થઈ, જેણે સંથાલીને તેની પોતાની વૈજ્ઞાનિક અને ધ્વન્યાત્મક લેખન પ્રણાલી પ્રદાન કરી.
તેમની શૈક્ષણિક કામગીરી ઉપરાંત, તેમણે દેશના વિવિધ પ્રદેશોમાં સંથાલી સમુદાયોમાં ઓલ ચિકી લિપિ વિશે સાક્ષરતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા સક્રિયપણે કામ કર્યું.સાંસ્કૃતિક જાળવણી અને શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણને કારણે તેમને 'પંડિત' નો માનદ ખિતાબ મળ્યો.
- ૧૯૨૫ માં સંથાલીને પોતાની લિપિ આપવા માટે ઓલ ચિકીનો વિકાસ કરવામાં આવ્યો હતો.
- ઓલ ચિકી લિપિમાં 1936માં હાઈ સેરેના દ્વારા રચિત પ્રથમ પુસ્તક.
પંડિત મુર્મુએ બીડુ-ચંદન જેવી પ્રભાવશાળી કૃતિઓની રચના પણ કરી હતી, જેણે લેખન દ્વારા સંથાલી સંસ્કૃતિ અને લાગણીઓની ઊંડાઈ પ્રતિબિંબિત કરી હતી.તેમના યોગદાનને વ્યાપક માન્યતા પ્રાપ્ત થઈ, જેમાં રાંચી યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટરેટ અને ઓડિશા સાહિત્ય અકાદમી તરફથી સન્માનનો સમાવેશ થાય છે.
|
ઓલ ચિકી લિપિની રચના

ઓલ ચિકીને1925માં પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા સંથાલી ભાષા માટે એક વૈજ્ઞાનિક અને સમર્પિત લેખન પ્રણાલી પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવી હતી.
મુખ્ય ભાષાકીય લક્ષણોમાં શામેલ છે:
- સંથાલી સમુદાય માટે વિશિષ્ટ રીતે રચાયેલ.
- 30 અક્ષરો જે સ્વર અને વ્યંજન બંનેનું પ્રતીક છે.
- દરેક પ્રતીક સીધા એક ચોક્કસ ધ્વનિને અનુરૂપ છે.
- કંઠ્ય ધ્વનિ અને અનોખા ધ્વનિ ઘટકોને ચોકસાઈપૂર્વક નોંધે છે.
રૂપાંતરિત લિપિઓથી વિપરીત, ઓલ ચિકીએ ભાષાકીય રીતે સચોટ અને સાંસ્કૃતિક મૂળિયાં ધરાવતું લેખિત અભિવ્યક્તિનું માધ્યમ પૂરું પાડ્યું.
ઓલ ચિકીના આગમનને કારણે સંથાલી ભાષાના લેખિત સ્વરૂપના વિકાસમાં એક મોટો અને મહત્વનો વળાંક આવ્યો.ભાષાકીય મૌલિકતા આધારિત લિપિ પ્રદાન કરવાથી, ભાષા ફક્ત મૌખિક માધ્યમમાંથી સંરચિત લેખિત સ્વરૂપમાં રૂપાંતરિત થવા સક્ષમ બની.
સ્ક્રીપ્ટને કારણે શબ્દભંડોળ, વ્યાકરણ અને ઉચ્ચાર ચોકસાઈપૂર્વક રેકોર્ડ કરવા શક્ય બન્યા.ભાષાના ઉપયોગના પ્રમાણીકરણને પણ તેણે સરળ બનાવ્યું, જેના કારણે શિક્ષણ, અનુવાદ અને પ્રકાશનને ટેકો મળ્યો.
બંધારણીય સીમાચિહ્ન: સંથાલી ભાષાનો આઠમી અનુસૂચિમાં સમાવેશ (2003)
ઓલ ચીકી લિપિની સફરમાં એક નિર્ણાયક ક્ષણ 2003 માં આવી. સંથાલી ભાષાને ઔપચારિક રીતે ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવવામાં આવી. આ સમાવેશ 92મા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા થયો.આ ઐતિહાસિક માન્યતાએ સંથાલીને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ પરંતુ વહીવટી રીતે સીમાંત ભાષામાંથી ભારતના ઔપચારિક ભાષાકીય માળખામાં સ્વીકૃત ભાષામાં રૂપાંતરિત થવાનો માર્ગ મોકળો કર્યો. ભાષાના સમાવેશને કારણે શિક્ષણ, વહીવટ અને જાહેર સંચારમાં તેને સંસ્થાકીય સહાય મળી શકી. આ ઉપરાંત, તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સાહિત્યિક પ્રોત્સાહન અને શૈક્ષણિક સંશોધનમાં તેના ઉપયોગને સરળ બનાવ્યો.મહત્વપૂર્ણ રીતે, આ માન્યતાએ શાળા અભ્યાસક્રમ અને રાજ્ય-સ્તરના પ્રકાશનો જેવા ઔપચારિક ક્ષેત્રોમાં ઓલ ચીકી લિપિની સ્વીકૃતિને મજબૂત બનાવી.તે ફક્ત એક ભાષીકીય સમાવેશ ન હતો, પરંતુ સંથાલ સમુદાયની ઓળખ, વારસો અને બૌદ્ધિક પરંપરાઓની પુષ્ટિ હતી.
સંથાલીમાં બંધારણ: ભાષાકીય ન્યાય અને લોકતાંત્રિક પહોંચને પ્રોત્સાહન

એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારતના બંધારણનો સત્તાવાર રીતે સંથાલી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. અનુવાદમાં ઓલ ચીકી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો. તે ડિસેમ્બર 2025 માં પ્રકાશિત થયું. રાષ્ટ્રના મૂળભૂત કાનૂની ગ્રંથને સંથાલીમાં તેની પોતાની સ્વદેશી લિપિમાં પહેલી વાર પ્રકાશિત કર્યો, જેના કારણે તે ઉપલબ્ધ થયો.આ અનુવાદ સંથાલી ભાષી નાગરિકોને ભાષાકીય રીતે પરિચિત સ્વરૂપમાં બંધારણીય મૂલ્યો અને અધિકારો સુલભ બને તે સુનિશ્ચિત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે.શાસન અને સમાનતા સંબંધિત બંધારણીય જોગવાઈઓ, તેમજ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ હેઠળની આદિવાસી સુરક્ષા જોગવાઈઓ સાથે સીધા જોડાણને સક્ષમ કરીને, આ પહેલ ભાગીદારી લોકશાહીને મજબૂત બનાવે છે.આ સંથાલી ભાષા માટે લેખિત અભિવ્યક્તિના મુખ્ય માધ્યમ તરીકે ઓલ ચિકી લિપિની ભૂમિકાને પણ દ્રઢ કરે છે.

પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા સર્જિત લિપિના શતાબ્દી વર્ષ સાથે સુસંગત આ પ્રકાશન, લોકશાહી સશક્તિકરણને આગળ વધારવા માટે ભાષાકીય સમાવેશની વધતી સંસ્થાગત ઓળખને પ્રતિબિંબિત કરે છે.
ઓલ ચીકી લિપિની સદી નિમિત્તે ઉજવણીનો સિક્કો અને સ્ટેમ્પ
ઓલ ચીકી લિપિના કાયમી સાંસ્કૃતિક અને ભાષાકીય પ્રભાવને માન આપવા માટે, ભારત સરકાર તેની 100મી વર્ષગાંઠ (1925-2025) ની ઉજવણી માટે ₹100 નો સ્મારક સિક્કો બહાર પાડી રહી છે.
|
સિક્કાની ડિઝાઇન રાષ્ટ્રીય પ્રતીકાત્મકતા અને સાંસ્કૃતિક સન્માન બંનેને પ્રતિબિંબિત કરે છે. તેના અગ્રભાગમાં અશોકનો સિંહ સ્તંભ અને ચલણ મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે, જ્યારે પૃષ્ઠભાગમાં ઓલ ચિકી લિપિના અક્ષરોની પૃષ્ઠભૂમિમાં પંડિત રઘુનાથ મુર્મુનું ચિત્ર છે, તેની સાથે લિપિના સો વર્ષની સ્મૃતિમાં એક લખાણ પણ કોતરવામાં આવ્યું છે.
|
આ પ્રકાશન સ્ક્રિપ્ટની ભાષાકીય ઓળખને સુદૃઢ કરવામાં, સાક્ષરતાને પ્રોત્સાહન આપવામાં અને સ્વદેશી વારસાનું સંરક્ષણ કરવામાં તેની પરિવર્તનકારી ભૂમિકા માટે ઔપચારિક રાષ્ટ્રીય માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે.ભારતના સ્મૃતિ સિક્કાઓમાં ઓલ ચિકી લિપિનો સમાવેશ કરીને, આ પહેલ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં તેના મહત્વને સ્વીકારે છે અને ભવિષ્યની પેઢીઓ માટે આદિવાસી જ્ઞાન પરંપરાઓના સંરક્ષણના મહત્વને પુનરાવર્તિત કરે છે.
મુદ્રાશાસ્ત્રીય આ અર્પણના પૂરક રૂપે, શતાબ્દી મહોત્સવના સ્મરણાર્થે એક સ્મૃતિ ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે. ટપાલ ટિકિટ દ્વારા સાંસ્કૃતિક અને ભાષાકીય સિદ્ધિઓની ઉજવણીના ભારતના સમૃદ્ધ ઇતિહાસને ધ્યાનમાં લેતા, આ ટપાલ ટિકિટ રાષ્ટ્રીય સ્વીકૃતિના કાયમી પ્રતીક તરીકે કાર્ય કરે છે.
નિષ્કર્ષ
આજે, ઓલ ચિકી માત્ર એક લેખન પ્રણાલીનું પ્રતીક નથી, પરંતુ તેનો વ્યાપ ઘણો મોટો છે.તે ભાષાકીય ગૌરવ, સાંસ્કૃતિક સ્થિતિસ્થાપકતા અને બૌદ્ધિક આત્મનિર્ધારણના પ્રતીક તરીકે ઊભું છે.છેલ્લા એક સદીથી આ લિપિએ સાંથાલી ભાષીઓને આધુનિક શિક્ષણ અને જાહેર જીવન સાથે જોડાઈને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સક્ષમ બનાવ્યા છે. ભારતમાં ભાષાકીય વિવિધતાને મજબૂત કરવામાં પણ તેણે ફાળો આપ્યો છે, ઔપચારિક જ્ઞાન પ્રણાલીઓમાં સ્થાનિક અવાજોને અભિવ્યક્તિ મળે તેની ખાતરી કરીને.
ઓલ ચિકી લિપિની શતાબ્દી માત્ર સમયના વહેણ જ દર્શાવતી નથી, પરંતુ ઓળખ, ગૌરવ અને સાંસ્કૃતિક સાતત્યના મૂળભૂત આધાર તરીકે ભાષાની અવિચલ શક્તિને ઉજાગર કરે છે.પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા ૧૯૨૫માં તેની રચનાથી લઈને શિક્ષણ, સાહિત્ય અને બંધારણીય માન્યતાને સક્ષમ કરવામાં તેની ભૂમિકા સુધી, ઓલ ચિકીએ સંથાલી ભાષાને મૌખિક પરંપરામાંથી એક જીવંત લેખિત માધ્યમમાં રૂપાંતરિત કરી છે.તેની યાત્રા સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓની સ્થિતિસ્થાપકતા અને રાષ્ટ્રીય માળખામાં ભાષાકીય વિવિધતાના જતનનું મહત્વ દર્શાવે છે.
આઠમી અનુસૂચિમાં સંથાલીનો સમાવેશ 2003 માં થયો હતો. ઓલ ચીકીના 100 વર્ષ નિમિત્તે એક સ્મારક સિક્કો અને સ્ટેમ્પ બહાર પાડવામાં આવ્યા હતા. આ ઘટનાઓ એકસાથે આ લિપિની માન્યતાનું પ્રતીક છે. સંથાલીને ભારતના સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ માનવામાં આવે છે. ઓલ ચીકી તેની આગામી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે, તે પરંપરા અને આધુનિકતા વચ્ચેના સેતુ તરીકે ઉભું છે. તે ભવિષ્યની પેઢીઓ માટે એક દીવાદાંડી પણ છે. આ એ વિચારને ફરીથી સમર્થન આપે છે કે ભાષા ફક્ત સંદેશાવ્યવહારનું માધ્યમ નથી. ભાષા એ સામૂહિક સ્મૃતિ અને ઓળખની જીવંત અભિવ્યક્તિ છે.
સંદર્ભોઃ
References
The President of India
https://presidentofindia.nic.in/press_releases/president-india-releases-constitution-india-santhali-language
Ministry of Culture
https://www.instagram.com/p/DUvMW5jEy61/
Ministry of Finance
https://egazette.gov.in/WriteReadData/2026/269981.pdf
All India Radio
https://www.newsonair.gov.in/president-murmu-releases-constitution-in-santhali-language-at-rashtrapati-bhavan/
Press Information Bureau
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2208484®=3&lang=1
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2208453®=6&lang=1
Click here to see pdf
SM/BS/GP/JD
(રીલીઝ આઈડી: 2229223)
મુલાકાતી સંખ્યા : 6