સંસ્કૃતિ મંત્રાલય
વડોદરામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025નું 54 દિવસનું કાઉન્ટડાઉન શરૂ
પારુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત યોગાભ્યાસમાં 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો
Posted On:
28 APR 2025 7:14PM by PIB Ahmedabad
યોગોત્સવ – આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય) 2025નું 54 દિવસનું કાઉન્ટડાઉન પ્રસંગે સ્વસ્થાવ્રત વિભાગ, પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, પારૂલ યુનિવર્સિટી દ્વારા આજે યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 હજારથી વધુ લોકો સહભાગી થયા હતા.

આયુષ મંત્રાલય અને મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યોગ (એમડીએનઆઈવાય) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય) 2025ને 54 દિવસ પૂર્ણ થતાં યોગોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમના દ્વારા મંજૂર કરાયેલા પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, પારૂલ યુનિવર્સિટી ખાતે આજે આરોગ્યવ્રત વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુષ મંત્રાલય/એમડીએનઆઈવાયના નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને પ્રમાણિત યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ કોમન યોગ પ્રોટોકોલ (સીવાયપી) સત્ર સવારે 7:00 થી 8:00 વાગ્યા સુધી યોજવામાં આવ્યું હતું. આ યોગ સત્રમાં મુખ્ય અતિથિ વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઉદ્ઘાટન સમારંભ સવારે 10:00 વાગ્યે પ્રાર્થના અને ઔપચારિક દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. ત્યાર બાદ પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના પ્રિન્સિપાલ અને પારૂલ યુનિવર્સિટીની આયુર્વેદ ફેકલ્ટીના ડીન ડો.હેમંત ડી. તોશીખાણેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પારૂલ યુનિવર્સિટીના પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચના પ્રિન્સિપાલ ડો.બી.જી.કુલકર્ણી દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું.

"યોગ બૂસ્ટિંગ માઇન્ડફુલનેસ એન્ડ માઇન્ડફુલનેસ મેડિટેશન" વિષય પર શ્રી આર. રવિશંકરે વ્યાખ્યાન આપ્યું હતું.
ત્યારબાદ યોગાચાર્ય રાજેશ બારોટ દ્વારા "રોજિંદા જીવનમાં યોગનું મહત્વ" વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સુશ્રી ભારકા આહુજા દ્વારા "સંગીત અને યોગના સંબંધ" વિષય પર વિશેષ વક્તવ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેમાં યોગ પદ્ધતિઓ અને સંગીત વચ્ચેના આંતરજોડાણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત સવારે 6:00 વાગ્યાથી થઈ હતી. જેમાં રિપોર્ટિંગ અને રજિસ્ટ્રેશન, સ્વાગત ડેસ્ક પર નોંધાયેલા સહભાગીઓને અહીં જ યોગ સાદડીઓનું વિતરણ સાથે થઈ હતી. કાર્યક્રમ દરમિયાન પીવાના પાણી અને પ્રાથમિક સારવાર માટેની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સમાપન સ્વીકૃતિઓ અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ, એનસીસી અને એનએસએસના સ્વયંસેવકો સહિત યોગ સત્રમાં 2000થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. અતિથિ પ્રવચનો અને પ્રશ્નોત્તરીમાં 250થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.
(Release ID: 2124954)
Visitor Counter : 31