પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
12 FEB 2025 2:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ મહંતને ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રોના નિષ્ણાત તરીકે બિરદાવ્યા, જેમણે પોતાનું આખું જીવન ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કર્યું.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના નિધનથી ખૂબ દુઃખ થયું. ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રોમાં પારંગત મહંતજીએ પોતાનું આખું જીવન ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કરી દીધું. દેશના આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા આદરપૂર્વક યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં હું ભગવાનને તેમના પરિવાર અને અનુયાયીઓને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2102218)
Visitor Counter : 75
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam