ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદ દ્વારા 6 ડિસેમ્બરે અમદાવાદ ખાતે માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું
Posted On:
06 DEC 2024 9:12PM by PIB Ahmedabad
ભારતીય માનક બ્યુરો (BIS)એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણ અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS એ યાંત્રિક, કૃષિ, રાસાયણિક, ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ખોરાક અને કાપડ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉચ્ચ-ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, BIS એ ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે સમાન રીતે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી છે.
વર્ષોથી BIS એ ભારતીય માનકોને વિકસાવવા અને સુધારવા માટે અથાક મહેનત કરી છે જે ગ્રાહકો અને વ્યવસાયોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ની ટીમ સાથે, BIS એ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે અને વૈશ્વિકબજારો સાથે સુસંગત છે.
અનુરૂપતા મૂલ્યાંકન આઉટરીચ પ્રવૃત્તિઓના ભાગરૂપે, BIS અમદાવાદે ગુણવત્તા સભાન ઇન્ડસ્ટ્રી સાથે અસરકારક સંચાર સ્થાપિત કરવા અને જાળવવા માટે માનક સંવાદની નવી પહેલ હાથ ધરી છે. BIS, અમદાવાદ દ્વારા આજે ચતુર્થ માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં BIS કન્ફર્મિટી એસેસમેન્ટ પરિવાર સાથે જોડાયેલા વિવિધ સેગમેન્ટના ઇન્ડસ્ટ્રી તેમના લાયસન્સના ડિજિટલ ઓપરેશનલાઇઝેશનને લગતી વિવિધ જોગવાઈઓ વિશે અપડેટ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેથી ઇન્ડસ્ટ્રી તેમના વિવિધ ઉત્પાદન સેગમેન્ટના ગુણવત્તાના પાસાઓને પહોંચી વળવામાં સતત ઉત્કૃષ્ટ બને તેની ખાતરી કરી શકાય.
બીઆઈએસ અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે ઉપસ્થિત તમામ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને તેમને માનક સંવાદ પહેલ વિશે માહિતી આપી. તેમણે આ મુદ્દા પર ભાર મૂક્યો હતો કે પહેલનો ઉદ્દેશ ઇન્ડસ્ટ્રી સાથે અસરકારક સંચાર સુનિશ્ચિત કરવાનો હતો અને તેથી તમામ સહભાગીઓને સક્રિય ભાગીદારી લેવા અને માનક ઓનલાઈન અને BIS કેર એપ સહિત BISના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઓપરેશનલ પાસાઓ અંગે જો કોઈ પ્રશ્ન હોય તો, તે વ્યક્ત કરવા વિનંતી કરી હતી. તેમણે ઉદ્યોગોને એ સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી હતી કે તેમને આપવામાં આવેલ લીલા છોડ તેમના ફેક્ટરી પરિસરમાં વાવવામાં આવે. તેમણે સહભાગીઓને છોડની વૃદ્ધિને ગુણવત્તામાં ક્રમશઃ સુધારણાના ચિહ્ન તરીકે અને હરિયાળી અને ગુણવત્તા સભાન વિશ્વ તરફ BIS સાથેની ભાગીદારીના સંકેત તરીકે ધ્યાનમાં લેવા વિનંતી કરી હતી.
વૈજ્ઞાનિક- ડી એ માનકઓનલાઈન પોર્ટલ શ્રી અમિત કુમારે તેના કાર્યો અને તેના લાયસન્સ ધારકોને BIS દ્વારા પ્રદાન કરવામાં આવતા ડિજિટલ સોલ્યુશન્સ પર પ્રસ્તુતીકરણ આપ્યું હતું. માહિતીપ્રદ સત્રનું સમાપન સહભાગીઓને ભારતીય માનકો, પ્રવર્તમાન લાયસન્સ અને વિશેષ ભારતીય માનક મુજબ ઉત્પાદનના પરીક્ષણ માટે હાલની લેબ વિશે સમજાવીને કરવામાં આવ્યું હતું. તેમણે લાઇસન્સધારકોને વિનંતી કરી કે તેઓ BIS વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીનો વધુને વધુ ઉપયોગ કરે.
વૈજ્ઞાનિક-ડી શ્રી ઈશાન ત્રિવેદીએ અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓમાં તાજેતરના વિકાસ અને લાયસન્સની સરળ કામગીરી માટે ઉત્પાદન બિન-અનુરૂપ માર્ગદર્શિકામાં ફેરફારો વિશે પ્રસ્તુતીકરણ આપ્યું હતું.
વૈજ્ઞાનિક-ડી શ્રી રાહુલ પુષ્કરે ગુણવત્તા નિયંત્રણ આદેશોના અમલીકરણ અંગે પ્રસ્તુતીકરણ આપ્યું હતું
ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન તમામ પ્રેક્ષકોએ તેમના પ્રશ્નોના નિરાકરણમાં સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દરેક સહભાગીઓને ડિજિટલ વેલકમ કિટ અને છોડ વિતરણ કરવામાં આવ્યું હતું. BIS અમદાવાદના વૈજ્ઞાનિક-સી શ્રી અજય ચંદેલ એ તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો.
AP/IJ/GP/JT
yle="text-align:center">સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2081835)
Visitor Counter : 55