સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ગુજરાતના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ટેલિકોમ વિભાગે લીધો ખાસ નિર્ણય!


30 ઓગસ્ટ, 2024ના રોજ 11:59 PM સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકાશે

Posted On: 29 AUG 2024 2:59PM by PIB Ahmedabad

સમગ્ર ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદની સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોની મદદ માટે તમામ પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં ટેલિકોમ વિભાગ પણ જોડાયો છે. અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં સંદેશાવ્યવહારની સેવા જાળવી રાખવા માટે ટેલિકોમ વિભાગે એક ખાસ નિર્ણય લીધો છે.

ટેલિકોમ વિભાગના આ નિર્ણય અનુસાર, કોઈ વ્યક્તિની સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ બંધ હોય તો એ વ્યક્તિ હવે 30 ઓગસ્ટ, 2024ના રોજ રાત્રે 11:59 સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. આના કારણે સંદેશાવ્યવહારમાં કોઈ અવરોધ આવશે નહીં અને જે તે અસરગ્રસ્ત વ્યક્તિ તેના ઈચ્છિત સ્થાને કોલ કરી શકશે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2049715) Visitor Counter : 37