ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

આઇએસઆઇ (ISI) માર્ક વિના મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીઇથિલિન મેટેરિયલ બનાવતી યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Posted On: 06 JUL 2024 5:56PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ (ISI) માર્ક વગર મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીઇથિલિન મેટેરિયલ બનાવતી યુનિટ મેસર્સ ઓટોટેક સિરમેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એનએચ 48, પારદી, વલસાડ, ગુજરાત 396002 પર તારીખ 04-07-2024 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, યુનિટ માંથી ISI માર્ક વગરના 08 બેગ (200 કિગ્રા) મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીઇથિલિન મેટેરિયલ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત યુનિટ પાસે મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીઇથિલિન મેટેરિયલ નું બીઆઈએસ લાઇસન્સ હતુ. પરંતુ તેમ છતાં તેઓ ISI માર્ક વગર ઉપરોક્ત ઉત્પાદનું ઉત્પાદન કરતા હતા. ISI માર્ક વગર મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીઇથિલિન મેટેરિયલ નું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટમાં દરોડા ની કાર્યવાહી કરવામાં આવી.

રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા પોલીથીન મેટેરિયલ ફોર મોલ્ડિંગ એન્ડ એક્સટ્રૂઝન (ગુણવત્તા નિયંત્રણ) સૂચન આદેશ, 2023, તારીખ 26 સપ્ટેમ્બર 2023 ના રોજ જારી કરાયેલા ઓર્ડર મુજબ મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીઇથિલિન મેટેરિયલ ઉપર આઈ એસ આઈ (ISI) માર્ક 05 જાન્યુઆરી 2024 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈ એસ આઈ માર્ક લગાવ્યા વગર મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીઇથિલિન મેટેરિયલ નું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016 ના અનુચ્છેદ 17 ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.   

ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ  ભારતીય માનક બ્યરો,  સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ  દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001  ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

AP/GP/JD



(Release ID: 2031257) Visitor Counter : 29