સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ ખાતાના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીસ અદાલતનું આયોજન

Posted On: 18 JUN 2024 3:07PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીસ અદાલતનું આયોજન કરવા જઈ રહ્યું છે. પેન્શન અને એનપીસ બદાલતનું આયોજન તારીખ 28/06/2024ના રોજ સવારે 11:30 (સાડા અગિયાર) કલાકે પોસ્ટ માસ્તર જનરલ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ રાજકોટ-360001ની ખોફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ 360001ને સમયસર મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.

AP/GP/JD



(Release ID: 2026122) Visitor Counter : 40