ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા માનક સંવાદનું આયોજન

Posted On: 01 JUN 2024 11:41AM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS)એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે. જે અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણ અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BISએ યાંત્રિક, કૃષિ, રાસાયણિક, ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ખોરાક અને કાપડ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉચ્ચ-ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, BISએ ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે સમાન રીતે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી છે.

વર્ષોથી, BISએ ભારતીય માનકોને વિકસાવવા અને સુધારવા માટે અથાક મહેનત કરી છે જે ગ્રાહકો અને વ્યવસાયોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે અને વૈશ્વિકબજારો સાથે સુસંગત છે.

અનુરૂપતા મૂલ્યાંકન આઉટરીચ પ્રવૃત્તિઓના ભાગ રૂપે, BIS અમદાવાદે ગુણવત્તા સભાન ઇન્ડસ્ટ્રી સાથે અસરકારક સંચાર સ્થાપિત કરવા અને જાળવવા માટે માનક સંવાદની નવી પહેલ હાથ ધરી છે. BIS, અમદાવાદ દ્વારા આજે પ્રથમ માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં BIS કન્ફર્મિટી એસેસમેન્ટ પરિવાર સાથે જોડાયેલા વિવિધ સેગમેન્ટના ઇન્ડસ્ટ્રી તેમના લાયસન્સના ડિજિટલ ઓપરેશનલાઇઝેશનને લગતી વિવિધ જોગવાઈઓ વિશે અપડેટ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેથી ઇન્ડસ્ટ્રી તેમના વિવિધ ઉત્પાદન સેગમેન્ટના ગુણવત્તાના પાસાઓને પહોંચી વળવામાં સતત ઉત્કૃષ્ટ બને તેની ખાતરી કરી શકાય.

બીઆઈએસ અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરની ઉપસ્થિત તમામ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને તેમને માનક સંવાદ પહેલ વિશે માહિતી આપી.  તેમણે આ મુદ્દા પર ભાર મૂક્યો હતો કે પહેલનો ઉદ્દેશ ઇન્ડસ્ટ્રી સાથે અસરકારક સંચાર સુનિશ્ચિત કરવાનો હતો અને તેથી તમામ સહભાગીઓને સક્રિય ભાગીદારી લેવા અને માનક ઓનલાઈન અને BIS કેર એપ સહિત BISના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઓપરેશનલ પાસાઓ અંગે જો કોઈ પ્રશ્ન હોય તો, તે વ્યક્ત કરવા વિનંતી કરી. તેમણે આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તરીકે હાજર ઇન્ડસ્ટ્રીને પૂરા પાડવામાં આવેલ લીલા છોડને હરિયાળી અને ગુણવત્તા સભાન વિશ્વ તરફ BIS સાથેની ભાગીદારીના નિશાની રૂપે તેની સંભાળ રાખવાની ખાતરી કરવા પણ તેમણે ઇન્ડસ્ટ્રીને અપીલ કરી હતી.

માનક ઓનલાઈન પોર્ટલના વૈજ્ઞાનિક-સી એ શ્રી રાહુલ પુષ્કર તેમના કાર્યો અને તેના લાયસન્સધારકોને BIS દ્વારા પ્રદાન કરવામાં આવતા ડિજિટલ સોલ્યુશન્સ પર પ્રસ્તુતીકરણ આપ્યું હતું. છેતરપિંડી કરનારા સંદેશાવ્યવહારની જાણ કરવા માટે દૂરસંચાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ 'ચક્ષુ' પોર્ટલની જાણકારી પણ આપવામાં આવી હતી. BIS અનુરૂપ મૂલ્યાંકન યોજનાના નિયમો અને શરતો વિશે સહભાગીઓને સમજાવીને માહિતીપ્રદ સત્રનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી વિપિન ભાસ્કરે વૈજ્ઞાનિક-સી એ ગુણવત્તા નિયંત્રણ આદેશોના અમલીકરણ અંગે પ્રસ્તુતીકરણ આપ્યું હતું. શ્રી ઈશાન ત્રિવેદી, વૈજ્ઞાનિક-ડી એ અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓમાં તાજેતરના વિકાસ અને લાયસન્સની સરળ કામગીરી માટે ઉત્પાદન બિન-અનુરૂપ માર્ગદર્શિકામાં ફેરફારો વિશે પ્રસ્તુતીકરણ આપ્યું હતું. શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનિક ડી એ ડ્રાફ્ટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS 14756નું ત્રીજું પુનરાવર્તન જે “ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વાસણો-વિશિષ્ટીકરણ” માટે છે, પર માનક મંથનનું સંચાલન કર્યું હતું.

ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન તમામ પ્રેક્ષકોએ તેમના પ્રશ્નોના નિરાકરણમાં સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દરેક સહભાગીઓને ડિજિટલ વેલકમ કિટ અને છોડ વિતરણ કરવામાં આવ્યા હતા. BIS અમદાવાદના વૈજ્ઞાનિક-સી  એ શ્રી અજય ચંદેલે તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2022415) Visitor Counter : 83