માહિતી અને પ્રસારણ મંત્રાલય

સુરતનાં આર આર અને વી આર મોલમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું થયું આયોજન


Posted On: 27 APR 2024 8:03PM by PIB Ahmedabad

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત જિલ્લા વહીવટી તંત્ર અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આજે નવસારી લોકસભાનાં ચોર્યાસી તાલુકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ રાહુલરાજ મોલમાં સાંજે 5 વાગે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોલમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નાટક મંડળી દ્વારા લોકોને ચોક્કસ મતદાન કરી પોતાની ફરજનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

જ્યારે બીજો કાર્યક્રમ વી આર મોલ ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં નાટકની ભજવણી કરી મનોરંજનની સાથે સરળ ભાષામાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બંન્ને કાર્યક્રમમાં લોકોએ જાતિ, ધર્મ વગેરેથી બહાર આવી અચૂક મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મતદાન મથકમાં રાખવામાં આવતી તકેદારી, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન જેવી કે સક્ષમ, વોટર હેલ્પલાઇન અને સી વિજિલ એપની જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સચીન શર્મા, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, મનોજ દેવીપૂજક અને તેમની ટીમ, સુરત મનપાનાં સમર્થ નાયક, પીંકેશ મહાડીક અને સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશનભાઈ પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઊઠાવી હતી.

AP/GP/JD



(Release ID: 2019013) Visitor Counter : 79