રેલવે મંત્રાલય
સુરતથી અયોધ્યા ધામ- સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
રેલ્વે મંત્રીએ શ્રીરામભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવી
Posted On:
11 FEB 2024 9:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતથી અયોધ્યા ધામ- સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ આપી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/dos197L8.jpg)
રેલ્વે મંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહેલા શ્રીરામભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, અગ્રણી દિનેશભાઈ નાવડિયા, રેલ્વે અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/dos21H2A.jpg)
નોંધનીય છે કે, રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ તા.13મીએ મંગળવારે સાંજે 5.00 વાગ્યે પણ વધુ એક ઉધના રેલ્વે સ્ટેશનથી ઉધનાથી અયોધ્યા ધામ- સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને ફ્લેગ ઓફ આપી અયોધ્યા રવાના કરશે.
AP/GP/JD
(Release ID: 2005105)
Visitor Counter : 101