યુવા બાબતો અને રમત મંત્રાલય

માયભારત તેમજ નહેરુ યુવા કેન્દ્ર,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃકતા સપ્તાહનો પ્રારંભ

Posted On: 11 JAN 2024 7:41PM by PIB Ahmedabad

આજ તારીખ 11 જાન્યુઆરી 2024ના રોજ ભારત સરકારના યુવા કાર્યક્રમ તેમજ રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માયભારત તેમજ નહેરુ યુવા કેન્દ્ર,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃકતા સપ્તાહની વિભિન્ન ગતિવિધિઓનો શુભારંભ એલડી આર્ટસ કોલેજ, અમદાવાદના કેમ્પસમાં જિલ્લા યુવા અધિકારી, અમદાવાદ શ્રી પ્રિતેશકુમાર ઝવેરી ના નેતૃત્વમાં એલ ડી આર્ટ્સ કોલેજના એનસીસી તેમજ એનએસએસ યુનિટ અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત સહયોગથી માર્ગ સલામતી હેતુ યુવાનોમાં પ્રચાર-પ્રસાર તેમજ જાગરૂકતા લાવવાના ઉદ્દેશ્ય થી શુભારંભ કરવામાં આવ્યો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર શ્રી બળવંતસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહી. તેમજ વિશેષ અતિથિ રૂપે અમદાવાદના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. પ્રવીણ કાનાબાર તેમજ ટ્રાફિક એસીપી શ્રી શૈલેષ મોદી તેમજ પીઆઇ એ જે પાંડવ તેમજ એન એસ એસના પીઓ શ્રી નટુભાઈ વર્મા અને એનસીસી થી ડૉ. જાગૃતિબેન તેમજ ડૉ. વિનોદ મીના નો પણ વિશેષ સહયોગ રહ્યો.

કાર્યક્રમમાં યુવાનોને નહેરુ યુવા કેન્દ્ર અમદાવાદ તરફથી માયભારતની ટીશર્ટ-કેપ તેમજ અલ્પાહાર અને સાથે સાથે પીઆઈબી અમદાવાદ તરફથી કેલેન્ડર તેમજ વિકસિત ભારતના વિભિન્ન યોજનાઓના પેમ્પલેટ અને ડાયરીનું પણ વિતરણ કરવામાં આવ્યું.

YP/JD



(Release ID: 1995316) Visitor Counter : 77