સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
13 DEC 2023 11:20AM by PIB Ahmedabad
અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનીયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-38001 ખાતે 21-12-2023ના રોજ 11 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અ કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આવી ફરિયાદો તારીખ 18-12-2023 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 19-09-2023 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1985731)
Visitor Counter : 97