યુવા બાબતો અને રમત મંત્રાલય

રાજ્ય કાર્યાલય, નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ મોઢેશ્વરી ભવન, પેથાપુર ખાતે યોજાશે

Posted On: 08 DEC 2023 4:51PM by PIB Ahmedabad

રાજ્ય કાર્યાલય, નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા તારીખ 10.12.2023થી તારીખ 11.12.2023 બે દિવસ સુધી રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ મોઢેશ્વરી ભવન, પેથાપુર ખાતે યોજાશે.

મનીષાબેન શાહ, રાજ્ય નિદેશક, નેહરૂ-યુવા કેન્દ્ર સંગઠન, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦.૧૨.૨૦૨૩ થી તારીખ ૧૧.૧૨.૨૦૨૩ બે દિવસ સુધી રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ મોઢેશ્વરી ભવન, પેથાપુર ખાતે યોજાશે જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેવી કે ભાષણ હરિફાઈ, કાવ્ય હરિફાઈ, સાંસ્કૃતિક (ગરબા હરિફાઈ), મોબાઇલ ફોટોગ્રાફી હરિફાઈ અને ચિત્ર હરિફાઈ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જે ઉપરોક્ત હરિફાઈમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લા તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના યુવા ભાઈ-બહેન ભાગ લેશે કે જેઓ જીલા કક્ષાએ આયોજીત થયેલ યુવા ઉત્સવમાં ભાષણ હરિફાઈ અને ગરબા હરિફાઈમાં પ્રથમ નંબર વિજેતા યુવા ભાઈ-બહેન ભાગ લેશે તેમજ કાવ્ય હરિફાઈ, ચિત્ર હરિફાઈ અને મોબાઇલ ફોટોગ્રાફી માં પ્રથમ ૨ અને બીજા ક્રમે વિજેતા પામેલ યુવા ભાઈ-બહેન ભાગ લેશે.

ઉપરોક્ત યુવા ઉત્સવ નું ઉદ્ધાટન મોઢેશ્વરી ભવન, પેથાપુર મુકામે તારીખ 10.૧૨.૨૦૨૩ના રોજ બપોરે 2.00 વાગે રાખવામાં આવેલ છે જે ઉદ્ધાટન સમારોહમાં શ્રી પરષોતમ રૂપાલા, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી, પશુ પાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ, શ્રી નરહરિ અમીન માનનીય સાંસદ શ્રી રાજ્ય સભા અને શ્રીમતી રિટાબેન પટેલ, માનનીય પારા સભ્ય શ્રી, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ તારીખ 11.12.2023ના રોજ બપોરે 3 વાગે રાખવામાં આવેલ છે, જે સમારોહમાં શ્રી હર્ષ સંઘવી, માનનીય મંત્રી શ્રી ગૃહ, યુવા, સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને રમત ગમત. ગુજરાત સરકાર તેમજ શ્રી પ્રફુલ પાનશેરીયા, માનનીય મંત્રી શ્રી શિક્ષણ અને સંસદીય બાબતો તેમજ શ્રી કૌશલ દવે રાજ્ય સંયોજક ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ઉપસ્થિત રહશે અને તમામ હરિફાઈ માં રાજ્ય કક્ષા એ વિજેતાઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તેમજ ટ્રોફી/સ્મૃતિ ચિન્હ અર્પણ કરશે તેમજ તેમના ઉપસ્થિત રહેલ યુવા ભાઈઓ-બહેનોને આશીર્વચન આપશે.

CB/GP/JD



(Release ID: 1984049) Visitor Counter : 61