માહિતી અને પ્રસારણ મંત્રાલય

વલસાડના ધરમપુર તાલુકાના ખારવેલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ભવ્ય પ્રતિસાદ


ખેડૂતોને ડ્રોન જેવી નવી ટેકનોલોજી અંગે માહિતગાર કરવામાં આવ્યા, સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધિઓ અંગેના સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ આણવાનો સરાહનીય પ્રયાસ કરાયો

Posted On: 18 NOV 2023 7:02PM by PIB Ahmedabad

વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજ રોજ વલસાડના ધરમપુર તાલુકાના ખારવેલ ગામ ખાતે આવી પહોંચી હતી..જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને સરકારની વિવિધ યોજના વિશેની જાણકારી મેળવીને લાભ લીધો હતો.

આ સમયે ખેડૂતોને ડ્રોન જેવી નવી ટેકનોલોજી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ડ્રોન કઈ રીતે ખેતીના કાર્યમાં ઉપયોગની નીવડી શકે એ વિશેની જાણકારી આપવામાં આવી હતી.

આ રથ દ્વારા સરકાર દ્વારા કરાયેલા પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ, માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત યોજનાકીય માહિતી, સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધિઓ અંગેના સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ આણવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો.

CB/GP/JD

 



(Release ID: 1977878) Visitor Counter : 107