માહિતી અને પ્રસારણ મંત્રાલય
"9વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" પર તરણેતર મેળામાં પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શન
પ્રખ્યાત ભાતીગળ મેળામાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા કરાયું આયોજન
Posted On:
17 SEP 2023 3:27PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની માહિતી આપતા પાંચ દિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શનનું આયોજન તરણેતરના મેળા દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત દ્વારા કરવામાં આવ્યું છે.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/tar1R5PJ.jpg)
સરકારની સિદ્ધિઓ અને સફળતા જન જન સુધી પહોંચડવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રખ્યાત ભાતીગળ તરણેતરના મેળામાં કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળી રહે તેમજ વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનોમાં જનજાગૃતિ વધે એ માટે તા.17 થી 21 સપ્ટેમ્બર, પાંચ દિવસ માટે મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તા. 17નાં સવારે 11 વાગે કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/tar29VRN.jpg)
આ કાર્યક્રમની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ, થાનગઢમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધાનો વિષય 'આપણો વારસો-ભાતીગળ મેળો', નિબંધ સ્પર્ધાનો વિષય 'મિશન ચંદ્રયાન 2023' અને વક્તૃત્વ સ્પર્ધાનો વિષય 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' રાખવામાં આવ્યો હતો.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/tar3UUBU.jpg)
આ સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓને ઉદ્ઘાટન સમારોહમાં કલેક્ટર સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/tar4YKHO.jpg)
આ પ્રદર્શન તા.17થી 21 સપ્ટેમ્બર દરમિયાન જાહેર જનતાને નિ:શુલ્ક જોવા મળશે. આ પ્રદર્શનને સફળ બનાવવા ક્ષેત્રિય પ્રચાર સહાયક દેવેન્દ્ર ત્રિવેદી, નરેશભાઈ વાઘેલા અને રોશનભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે, એવી માહિતી ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.
CB/GP/JD
(Release ID: 1958180)
Visitor Counter : 129