પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ICAR-CIBA ઝીંગા ફાર્મર્સ કોન્ક્લેવ-2023નું ઉદ્ઘાટન કર્યું, CIBA અને NFDB વચ્ચે એમઓયુ

Posted On: 14 SEP 2023 2:53PM by PIB Ahmedabad

ભારત સરકારનાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગનાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની અને નવસારી સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આજ રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આઇસીએઆર-સીઆઇબીએનાં શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ-2023નાં બીજા સંસ્કરણનું દીપપ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. CIBAઅને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (એનએફડીબી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) એન.એફ.ડી.બી. દ્વારા ઓફર કરવામાં આવતી પ્રીમિયમ સબસિડી સાથે જળચરઉછેર માટે પાક વીમાનો અમલ કરવા માટે અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ) અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ)ને કોન્ક્લેવ દરમિયાન અમલમાં મૂકવામાં સાથે  એગ્રિકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડની પ્રોડક્ટ ઝીંગા પાક વીમાને પણ લોન્ચ કરવામાં આવી છે.

ભારત અંદાજીત 14 મિલિયન મેટ્રિક ટનના મત્સ્ય ઉત્પાદન સાથે ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે અને લગભગ 7 લાખ ટન ઉછેર કરાયેલા ઝીંગાનો સૌથી મોટો નિકાસકાર છે. જો કે, બીમારીઓને કારણે દેશને વાર્ષિક અંદાજે 7100 કરોડનું નુકસાન થાય છે. તેથી, રોગોને નિયંત્રિત કરવા માટે વહેલાસર શોધ અને રોગોના ફેલાવાને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહત્વને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સર્વેલન્સ પ્રોગ્રામ ફોર એક્વાટિક એનિમલ ડિસીઝ (NSPAAD) લાગુ કરવામાં આવે છે. જે અંતર્ગત  મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આઇસીએઆર-સીઆઇબીએનાં શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ-2023નાં બીજા સંસ્કરણ કાર્યકમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. માઇક્રોસ્પોરાઇડિયન દ્વારા થતા હેપેટોપેન્ક્રિઆટિક માઇક્રોસ્પોરિડિઓસિસ (એચપીએમ)ના વિશેષ સંદર્ભમાં ઝીંગાની નિકાસના વર્તમાન દૃશ્ય અને તાત્કાલિક સંભાવનાઓ, રોગ નિવારણ અને વ્યવસ્થાપનની વિગતો આપતા ટેકનિકલ સત્રમાં (એન્ટરોસિટોઝૂન હેપેટોપેનાઈ (ઇએચપી), ઝીંગા ઉછેર માટે પાક વીમો, આનુવંશિક રીતે સુધારેલા ભારતીય સફેદ ઝીંગાનો વિકાસ (પેનાઈસ ઈન્ડીકસ) અને મડક્રેબ અને એશિયન સીબાસ માછલી સાથે ખારા પાણીના જળચરઉછેરનું વૈવિધ્યકરણ કરવા માહીતગાર કરવામાં આવ્યા હતા.

ભારત દેશ છેલ્લા એક દાયકા દરમિયાન ઝીંગા ઉત્પાદનમાં લગભગ 430% વૃદ્ધિ હાંસલ કરી છે જે ફક્ત ઝીંગા ખેતી ક્ષેત્રની એકંદર નફાકારકતા, વૃદ્ધિ અને સ્થિરતાને સમજાવે છે. જળચરઉછેર પર લાદવામાં આવેલા કડક નિયમો સાથે વૈજ્ઞાનિક ટેક્નોલોજીની પ્રગતિએ આ વિશાળ કૂદકો શક્ય બનાવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સૂરત અને ભરૂચમાં મોટાભાગના એક્વાકલ્ચર ખેડૂતો નાના ખેડૂતો છે, તેઓ 2-3 તળાવ ધરાવે છે અને સંસ્થાકીય ધિરાણ અને વીમાની પહોંચના અભાવને કારણે પાક માટે કાર્યકારી મૂડી ઊભી કરવામાં ભારે અવરોધોનો સામનો કરવો પડે છે. કુદરતી આફતો અથવા વાઇરલ રોગોને કારણે એક પાકનું નુકસાન ખેડૂતોને ઊંડે ઋણમાં ડૂબી જાય છે.  પરંતુ હવે CIBAઅને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (એનએફડીબી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) એન.એફ.ડી.બી. દ્વારા ઓફર કરવામાં આવતી પ્રીમિયમ સબસિડી સાથે જળચરઉછેર માટે પાક વીમાનો અમલ કરવા માટે અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ) અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ)ને કોન્ક્લેવ દરમિયાન અમલમાં મૂકવામાં સાથે  એગ્રિકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડની પ્રોડક્ટ ઝીંગા પાક વીમાને પણ લોન્ચ કરવામાં આવી છે. જેને લઈને મત્સ્ય ખેડૂતોની વીમા અને સંસ્થાકીય ધિરાણ સુધીની સુલભતા સ્થાપિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જે વીમા યોજના સુવિધા દ્વારા ખેડૂતોની આવક વધુ ઝડપી સમયમર્યાદામાં બમણી કરવામાં મદદ કરશે.

આ કોન્કલેવમાં ગુજરાત એક્વા ફીડ ડીલર્સ એસોસિયેશન, ગુજરાત એક્વાફાર્મર્સ એસોસિયેશનના 300થી વધુ એક્વાફાર્મર્સ, હોદ્દેદારો, એસસી/એસટી યોજનાના લાભાર્થીઓ, જનપ્રતિનિધિઓ, વિકાસ વિભાગના અધિકારીઓ, ટેકનિશિયનો, બેન્કરો, વીમા અધિકારીઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.ઝીંગા અને માછલીઓના જીવંત પ્રદર્શન નિહાળ્યું હતું અને આ ઉદ્ધાટન સમારોહ દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીના વરદ હસ્તે મત્સ્ય અને ઝીંગા ઉછેર પર પુસ્તકો અને પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા મત્સ્યપાલકોને ચેકવિતરણ કરવામાં આવ્યા હતા.

આ સંમેલનમાં ખાસ કરીને ઝીંગાના બિયારણની ગુણવત્તા, ઝીંગાના ભાવ, વૈવિધ્યકરણ અને વીજળીના દર વગેરે અંગેની જરૂરિયાતો વિશે ચર્ચા કરવા માટે એક જળચરઉછેર પાક વીમા પર વિશેષ સત્ર અને આંતર-વિભાગીય અધિકારીઓની ભાગીદારી સાથે પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી-ગુજરાત રિજનલ સેન્ટર ઓફ આઇસીએઆર-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશવોટર એક્વાકલ્ચર (આઇસીએઆર-સીઆઇબીએ), ચેન્નાઇની દેખરેખ હેઠળની વૈજ્ઞાનિક ટીમ આઈસીએઆર-સીઆઈબીએના ડાયરેક્ટર ડો.કુલદીપ કે લાલ ,ગ્રીજા સુબ્રમણ્યમ, ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર ઓફ એગ્રિકલ્ચરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, આઇસીએઆરના નાયબ નિયામક (મત્સ્યોદ્યોગ) ડો.જે.કે.જેના, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ, ભારત સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીના સભ્ય સચિવ ડો.વી.કૃપા, ભારત સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીના સભ્ય સચિવ, નીતિન સાંગવાન, આઇએએસ, ગુજરાત સરકારના ફિશરીઝ કમિશનર, ભારત સરકારના નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ડો. એલ. નરશીમા મૂર્તિ સાથે મત્સય ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1957305) Visitor Counter : 134