રેલવે મંત્રાલય

સુરક્ષિત રેલ સંચાલન બદલ વડોદરાના ચાર ટ્રેન નિયંત્રકોનું સન્માન કરવામાં આવ્યું

Posted On: 27 JUL 2023 5:10PM by PIB Ahmedabad

પશ્ચિમ  રેલ્વે ના  વડોદરા મંડળ  તેના પ્રતિષ્ઠિત મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને સુરક્ષિત અને સમયસર પહોંચે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યું  છે શ્રૃંખલામાંવિવિધ વિભાગોના રેલ્વે કર્મચારીઓ સલામત રેલ કામગીરીમાં ચોવીસ કલાક તેમની સેવાઓ આપવા માટે સતત પ્રયત્નશીલ છે જેથી કરીને યોગ્ય સમયે ટ્રેનોનું સંચાલન કરી શકાય.

 સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર મેનેજર શ્રી નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ડીઆરએમ શ્રી જિતેન્દ્ર સિંહે ઓપરેટિંગ વિભાગના ચાર રેલવે કર્મચારીઓને મંડળ પર રેલ કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા છે. જેમાં મુખ્ય ટ્રેન નિયંત્રક  શ્રી દયાલ જાટવ, શ્રી હરિ મોહન મીણા અને મુખ્ય ટ્રેન ક્લાર્ક શ્રી વિશાલ ભટ્ટ અને શ્રી રોહન એસ. પવારે તેમની ફરજ દરમિયાન, ટ્રેનો ને  વધુ સારી રીતે ચલાવવા માટે તેમની બુદ્ધિમત્તા અને સતર્કતાથી  આયોજન કરીને તેમને તેમના ગંતવ્ય સ્થાને મોકલી હતી. આના કારણે, સમયની પાબંદી સાથે મંડળ પર ઝડપથી ટ્રેનોનું સંચાલન શક્ય બન્યું.

 મંડળ રેલ પ્રબંધક  શ્રી જિતેન્દ્ર સિંહે  રેલ્વે કર્મચારીઓને તેમની સતર્ક કાર્ય વ્યવસ્થા માટે સન્માનિત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

* * *

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1943295) Visitor Counter : 99