આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

સ્વચ્છતા પખવાડા 01.07.2023 થી 15.07.2023 દરમિયાન એન.એસ.એસ.ઓ. (ડી.પી.ડી.) – ડેટા પ્રોસેસિંગ સેંટર દ્વારા તારીખ 06.07.2023 ના રોજ હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ

Posted On: 07 JUL 2023 11:05AM by PIB Ahmedabad

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા તેની પ્રાદેશિક કચેરીઓ/ કેન્દ્રો દ્વારા સમગ્ર દેશમાં 01.07.2023 થી 15.07.2023 સુધી સ્વચ્છતા પખવાડું મનાવવામાં આવી રહ્યું છે.   મંત્રાલયની નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) હેઠળના ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદે સ્વચ્છતા પખવાડા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે.

06.07.2023 ના રોજ ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓફિસના 40 જેટલા અધિકારીઓ/કર્મચારીઓ સવારે 10.00 થી 10.30 દરમિયાન લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા સ્વચ્છતા સંબંધિત સૂત્રો અને બેનરો સાથે ગંતવ્ય સ્થાને -  નવા વાડજ હિન્દી શાળા નંબર-1, વ્યાસવાડી , નવા વાડજ , અમદાવાદ-380014 (અંતર આશરે 1 કિમી) પગપાળા ગયા હતાં.

વાડજ હિન્દી શાળા નંબર 1 ના શાળા પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદના અધિકારીઓ, શાળા સંચાલકો અને કાર્યક્રમના આદરણીય આમંત્રિતો દ્વારા સંયુક્તપણે વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શાળા પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  શ્રી વિજયભાઈ પંચાલ, કોર્પોરેટર, નવા વાડજ, અમદાવાદે તેમની અમૂલ્ય હાજરીથી પ્રસંગ દીપાવ્યો હતોડૉ. રાહુલ એસ. જગતાપ , ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને શ્રી એલ.એમ. જાડેજા, નિયામક દ્વારા સ્વચ્છતા અભિયાન અને સંસ્થાના હેતુ વિશે ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો હતો.

નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના મેડિકલ ઓફિસર, ડૉ. જીગર સોલંકી તથા ડૉ. ગુંજા દ્વારા શાળાના ધોરણ-8 ના વિદ્યાર્થીઓને જાહેર જીવનમાં સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

સુશ્રી પ્રફુલ્લા મહેતા, સબ-ઇન્સ્પેક્ટર, મેલેરિયા વિભાગ, AMC પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.  ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદના કર્મચારી શ્રી સૌગત રોય તથા શ્રીમતી અલ્પા બી. પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ ભીનાં કચરા અને સૂકા કચરાના વર્ગીકરણ વિશે ટૂંકું પરંતુ સામગ્રીથી ભરપૂર એક શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું.   ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદમાં ઈંટર્નશિપમાં મૂકાયેલાં શ્રી સંતોષ ઝાવરે અને કુ. સ્નેહલ નાઝિરકરે વિદ્યાર્થીઓને દેશભરના વિવિધ રાજ્યો અને મુખ્ય શહેરોની સ્વચ્છતાની સ્થિતિ અંગેના કેટલાક આંકડાકીય ડેટા ચાર્ટ સ્વરૂપે રજૂ કર્યા. સ્વચ્છતા કાર્યક્રમના તમામ સહભાગીઓને ડૉ. રાહુલ એસ. જગતાપ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી .

શાળાના આચાર્ય શ્રીમતી ચંદ્રોદયા કોષ્ટીએ મુલાકાતીઓને શાળામાં અનુસરવામાં આવતી ભલામણપાત્ર સ્વચ્છતા પ્રથાઓથી પરિચિત કરાવ્યા. કાર્યક્રમના અંતે ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદના જોઈન્ટ ડાયરેક્ટર શ્રીમતી સ્વાગતા મિત્રાએ વિદ્યાર્થીઓ સાથે એક સ્નેહપૂર્ણ ટૂંકી ક્વિઝ યોજી અને આભાર વ્યક્ત કર્યો.

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1937894) Visitor Counter : 280


Read this release in: English