સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પેન્શન અદાલત

Posted On: 21 JUN 2023 12:22PM by PIB Ahmedabad

પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, અમદાવાદ શહેર વિભાગ, આકાશવાણી પાસે, અમદાવાદ-380009 ખાતે તારીખ 28.06.2023ના રોજ 16.30 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવમાં આવશે.

આવી ફરિયાદો 22.06.2023 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, આકાશવાણી પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009ને મોકલવાની રહેશે. તારીખ 22.06.2023 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં

આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પુરતી મર્ચાદિત રહેશે.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સેવા IPPBના સહકારથી દરેક પેન્શનરોને ડિજિટલી જીવન પ્રમાણપત્ર ઘર બેઠા મળે એવી સુવિધા શરૂ કરાઈ છે. આ સેવાની શરૂઆતથી પેન્શનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરુ જવાની જરૂર રહેશે નહીં.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડમાં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરુ કરવામાં આવ્યું છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1933910) Visitor Counter : 110