સંરક્ષણ મંત્રાલય

સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો

સંરક્ષણ પ્રાપ્તિમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોનો હિસ્સો વધ્યો

Posted On: 31 MAY 2023 12:48PM by PIB Ahmedabad

ભારતની સંરક્ષણ નિકાસ નાણાકીય વર્ષ 2013-14માં લગભગ રૂ. 686 કરોડથી નાણાકીય વર્ષ 2022-23માં 16,000 કરોડ થયા છે. આ નોંધપાત્ર 23 ગણો વધારો વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવે છે. નિકાસ 85થી વધુ દેશો સુધી પહોંચવા સાથે, ભારતના સંરક્ષણ ઉદ્યોગે તેની ડિઝાઇન અને વિકાસની ક્ષમતા વિશ્વને બતાવી છે, હાલમાં 100 કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરે છે.

સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે, સરકારે છેલ્લા 9 વર્ષોમાં સંખ્યાબંધ નીતિગત પહેલ કરી છે અને સુધારાઓ લાવ્યા છે. નિકાસ પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને એન્ડ-ટૂ-એન્ડ ઓનલાઈન નિકાસ અધિકૃતતા સાથે વિલંબને ઘટાડીને અને વ્યવસાય કરવાની સરળતા લાવીને ઉદ્યોગને અનુકૂળ બનાવવામાં આવી છે.

વધુમાં, આત્મનિર્ભર ભારત પહેલોએ દેશમાં સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને સંરક્ષણ સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને દેશને મદદ કરી છે, જેનાથી લાંબા ગાળે આયાત પરની નિર્ભરતા ઓછી થઈ છે. વિદેશી સ્ત્રોતોમાંથી સંરક્ષણ પ્રાપ્તિ પરનો ખર્ચ 2018-19માં કુલ ખર્ચના 46% થી ઘટીને ડિસેમ્બર, 2022માં 36.7% થઈ ગયો છે.

સંરક્ષણ નિકાસ (કરોડ રૂપિયામાં)

ભારત, જે એક સમયે મુખ્યત્વે સંરક્ષણ સાધનોના આયાતકાર તરીકે જાણીતું હતું, હવે તે ડોર્નિયર-228 જેવા એરક્રાફ્ટ, આર્ટિલરી ગન, બ્રહ્મોસ મિસાઇલ્સ, પિનાકા રોકેટ અને લૉન્ચર્સ, રડાર, સિમ્યુલેટર, આર્મર્ડ વાહનો વગેરે સહિત મોટા પ્લેટફોર્મની નિકાસ કરે છે. એલસીએ-તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર્સ અને એમઆરઓ પ્રવૃત્તિઓ જેવા ભારતના સ્વદેશી ઉત્પાદનોની માગ પણ વધી રહી છે.

સ્ત્રોતો: 1, 2, લોકસભા અતારાંકિત પ્રશ્ન નંબર 4861 તારીખ 31 માર્ચ, 2023

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1928539) Visitor Counter : 244


Read this release in: English