ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

પેકેજ્ડ બંધ પીવાના પાણીની કંપની પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

Posted On: 21 APR 2023 7:15PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરોથી માન્ય લાયસન્સ લીધા વિના પેકેજ્ડ બંધ પીવાના પાણીનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધાર પર તા. 21 એપ્રિલ, 2023ના રોજ સંત શ્રી વાલમરામ વોટર સપ્લાઈ (પ્રો. વાલાની ચેતનભાઈ હરીભાઈ) વીઆઈપી સર્કલ પાસે, બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે, મોટા વરાછા, સુરત, ગુજરાત ખાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પેકેજ્ડ બંધ પીવાના પાણી પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પુરાવા તરીકે નકલંગ માર્કેટિંગ બ્રાન્ડની નકલી આઈએસઆઈ માર્કવાળા પાણીના 20 લિટરના 12 જાર મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે મુજબ કોઈપણ વ્યક્તિ આ વસ્તુનું ઉત્પાદન ભા.મા.બ્યૂ(બીઆઈએસ) તરફથી આઈએસઆઈ માર્કના લાયસન્સ લીધા વિના કરી શકે નહીં. બ્યૂરોની પૂર્વ પરવાનગી વગર બ્યૂરો માનક માર્કન બનાવટી ઉપયોગ કરવાવાળા વિરુદ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ની કલમ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

 

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યૂરોના (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતાં હોય છે, ભારતીય માનક બ્યૂરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા જોખમથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યૂરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે તેના વિશે પ્રમુખ ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડદોડ રોડ, સુરત-395001 ફોન નં. 0261-299007 પર લખી શકે છે. ફરિયાદને headsubo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1918618) Visitor Counter : 115