ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રીતેનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

Posted On: 12 APR 2023 5:07PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ વિના ભારતીય માનકને અનુરૃપતાનો દાવો કરીન સિમેન્ટ પરીક્ષણ માટે ઉપયોગમાં આવનારી પ્રમાણભૂત રેતીના ઉત્પાદનમાં સંડોવણીની માહિતીના આધારતા. 11-4-2023ના રોજ અમદાવાદમાં કાર્યરત મેસર્સ પિનલ કોર્પોરેશન, જય ફાર્મની સામે, નંદોલી શીલજ રોડ, શીલજ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતી ધરાવતી IS 650:1991 લખેલ લગભગ 31000 થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે IS 650:1991 લખેલ લગભગ 20000 ખાલી બેગ પણ જપ્ત કરવામાં આવી હતી.

ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના ભારતીય માનકને અનુરૂપતાનો દાવો કરનારની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યુરો (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલી કે કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે એના વિશે પ્રમુખ ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014 ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo@bis.gov.in અથવા પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1915911) Visitor Counter : 164