સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 22 MAR 2023 2:44PM by PIB Ahmedabad

અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનીયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 29-03-2023ના રોજ 12.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટરહ પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 24-03-2023 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ, જી.પી.ઓ., અમદાવાદ-380001ને મોકવાની રહેશે. તારીખ 24-03-2023 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.

GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1909505) Visitor Counter : 99