રેલવે મંત્રાલય

વડોદરા મંડળના રેલવે સ્ટાફની ઉમદા માનવીય પહેલ


સર્વોદય એક્સપ્રેસના ગાર્ડને તાત્કાલિક ઉપલબ્ધ કરાવી તબીબી સહાયતા

Posted On: 20 MAR 2023 7:35PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના નડિયાદ સ્ટેશન ઉપર વાહનવ્યવહાર નિરીક્ષક શ્રી પ્રવીણ વણકર અને સ્ટેશન મેનેજર શ્રી આર.કે. મિત્તલ એ ઉમદા માનવીય પહેલ કરતાં સર્વોદય એક્સપ્રેસના ટ્રેન મેનેજર (ગાર્ડ) શ્રી એચ.કે.ગુપ્તાને ઘાયલ અવસ્થામાં તાત્કાલિક તબીબી સહાયતા ઉપલબ્ધ કરાવી જેનાથી સમયસર તબીબી સહાયતા મળવાથી તેમનો જીવ બચાવી શકાયો.

સિનિયર મંડળ પરિચાલન મેનેજર શ્રી નરેન્દ્ર કુમાર એ જણાવ્યું કે 18 માર્ચ, 2023 ના રોજ ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસથી કાર્યરત શ્રી ગુપ્તા નડિયાદ સ્ટેશન ઉપર ટ્રેનથી પડી ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આ દરમિયાન વાહનવ્યવહાર નિરીક્ષક શ્રી પ્રવીણ વણકર એ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને સિવિલ હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર અપાવીને કરમસદની મેડિકલ કોલેજ કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવ્યા. આ દરમિયાન શ્રી મિત્તલએ ટ્રેન મેનેજરના રૂપે ગોધરા સુધી કામ પણ કર્યું. મંડળ પ્રશાસન દ્વારા રેલવે સ્ટાફની તાત્કાલિક કાર્યવાહી તેમજ ઉમદા માનવીય પહેલની પ્રશંસા કરતાં તેમને સમ્માનિત કરવામાં આવ્યા.

GP/JD



(Release ID: 1908917) Visitor Counter : 105