સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

"બચત બસંત મહોત્સવ" અને "ધ્રુવ સંકલ્પ"

પોસ્ટ ઓફિસ સેવિંગ બેંકખાતાઓના કવરેજ માટે એક વિશેષ અભિયાન

Posted On: 16 FEB 2023 1:21PM by PIB Ahmedabad

તાજેતરમાં, ભારતીય ટપાલ વિભાગે તારીખ 28.01.2023 થી 31.01.2023 દરમિયાન સમગ્ર ભારતમાં 35 લાખ POSB ખાતા ખોલ્યા છે. તે ઉપરાંત તારીખ 09-10 02.2023ના રોજ 11 લાખ "સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલ્યા છે અને 24 કલાકની અંદર સૌથી વધુ SSYખાતા ખોલવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને સશક્ત બનાવવા માટેની આ ઉપ્લબ્ધીને ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા બિરદાવવામાં આવી હતી.

ગુજરાત પોસ્ટલ સર્કલ 8840 પોસ્ટ ઓફિસના નેટવર્ક સાથે લોકોની સેવામાં છે અને 1.37 કરોડથી વધુ લાઇવ ખાતા ધરાવે છે.

આ ઉપલક્ષમાં અને છેવાડાનાં નાગરિકોના નાણાકીય સમાવેશ માટેના અમારા સતત પ્રયાસોને અનુરૂપ, તારીખ 20.02.2023 થી 24.02.2023 દરમિયાન  તમામ પોસ્ટ ઓફિસ પર "પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક" ખાતાઓ ખોલવા માટે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન, POSB ખાતા ખોલવા માટે ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ભાગમાં વિશેષ શિબિરો અને મેળાઓનું આયોજન કરવામાં આવશે.

બાળકો માટે, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા તેઓને પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો લાભ આપવા માટે "ધ્રુવ સંકલ્પ" નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ બાળકોના મોટા સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

હાલમાં, ભારતીય ટપાલ વિભાગસ લામતી સાથે તમામ POSB યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દર આપી રહ્યું છે.

વિભાગે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના તેમજ પરિવારના સભ્યોના POSB ખાતા ખોલાવે અને પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1899764) Visitor Counter : 192