આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકારની પેટા-પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સહયોગથી ભાવનગરમાં 16મી ફેબ્રુઆરી 2023ના રોજ વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન

Posted On: 15 FEB 2023 6:59PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકારની પેટા-પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સહયોગથી ભાવનગરમાં 16મી ફેબ્રુઆરી 2023ના રોજ વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો હેતુ ભારતીય અધિકૃત આંકડાકીય પ્રણાલીના વિવિધ પાસાઓ વિશે યુવા મનને પ્રબુદ્ધ કરવાનો અને એનએસઓ (NSO) દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ સર્વેક્ષણો વિશે જાગૃતિ લાવવાનો છે. યુનિવર્સિટી કેમ્પસના સેનેટ હોલમાં આયોજિત કાર્યક્રમમાં એમ કે ભાવનગર યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોના 150 જેટલા વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યો સાથે ભાગ લે તેવી શક્યતા છે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન એમ કે ભાવનગર યુનિવર્સિટી ના  કુલપતિ ડો. એમ એમ ત્રિવેદી, દ્વારા કરવામાં આવશે. શ્રી એસ કે ભાણાવત, પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડાએ પ્રસંગે સભાને સંબોધશે. ડો. ઉમેશ એમ રાવલ, ઓએસડી પરીક્ષણ અને પ્રો. અને વિભાગના વડા, સ્ટેટિસ્ટિક્સ વિભાગ, એમ.જે. કૉલેજ ઑફ કોમર્સ, ભાવનગર અને ડૉ. સંજય શ્રીવાસ્તવ, પ્રો. અને વિભાગના વડા, સ્ટેટિસ્ટિક્સ વિભાગ, સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ભાવનગર પણ કાર્યક્રમમાં ભાગ લેશે. શ્રી જે પરમાર, મદદનીશ નિયામક, પ્રાદેશિક કચેરી, અમદાવાદ અને શ્રીમતી. એચ બી જાજલ, વરિષ્ઠ આંકડાકીય અધિકારી અને ઉપ-પ્રાદેશિક કચેરીના ઇન્ચાર્જ અને એનએસઓના અન્ય અધિકારીઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે. ક્વિઝનું સંચાલન વરિષ્ઠ આંકડાકીય અધિકારીઓ કુ. કુનાલી અને  કુ. એન . નવીના દ્વારા કરવામાં આવશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સહભાગિતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને ક્વિઝના વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1899610) Visitor Counter : 203