ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

બીઆઈએસ, અમદાવાદ દ્વારા ‘યોગ કેન્દ્રો-સેવા આવશ્યકતાઓ’ પર પારૂલ યુનિવર્સિટીના સહયોગથી માનક મંથનનું આયોજન

Posted On: 25 JAN 2023 2:31PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે બીઆઈએસ એક્ટ 2016 અંતર્ગત અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજના ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

બીઆઈએસ અમદાવાદ દ્વારા 24 જાન્યુઆરી, 2023ના રોજ નવા ઘડવામાં આવેલા માનક ‘યોગ કેન્દ્રો-સેવા આવશ્યકતાઓ’ પર ‘માનક મંથન’નું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓ, યોગ કેન્દ્રો અને યોગ સાધકો જેવા વિવિધ ક્ષેત્રોના 30થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને બીઆઈએસ દ્વારા આયોજિત કરવામાં આવતો એક કાર્યક્રમ છે.

આઈએસ 17923:2022 યોગ વેલનેસ પ્રશિક્ષક અને યોગ કેન્દ્રના સ્ટાફ માટે ન્યૂનતમ લાયકાત સહિત ઓપરેશન્સ, બેન્ચમાર્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની સેવા આવશ્યકતાઓને સ્પષ્ટ કરે છે.

ડો. નીલિમા પટેલ, ભૂતપૂર્વ આઈ/સી પ્રિન્સિપાલ અને એચઓડી સરકારી કોલેજ ફિઝિયોથેરાપી, ફેકલ્ટી ઓફ મેડિસીન, બરોડા અને લેખકે તેમના સંબોધનમાં યોગના ક્ષેત્રમાં માનકીકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેણીએ એમ પણ જણાવ્યું હતું કે ભારત યોગનું મૂળ છે, ભારત યોગના ક્ષેત્રમાં અગ્રેસર હોવું જોઈએ.

શ્રી સુમિત સેંગર, બીઆઈએસ, અમદાવાદના નિદેશક અને પ્રમુખ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારો બંનેને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે બીઆઈએસની ટેકનીકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેઈલ આઈડીઃ ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

YP/GP/JD



(Release ID: 1893578) Visitor Counter : 142