વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

B20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગ

22-24 જાન્યુઆરી 2023, મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત
મીડિયા બ્રીફિંગ

Posted On: 22 JAN 2023 12:44PM by PIB Ahmedabad

ભારત 2023માં G20 નું પ્રમુખપદ ધરાવે છે, તેથી સપ્ટેમ્બરમાં અઢારમી G20 સમિટનું આયોજન કરશે. વ્યાપાર 20 (B20) G20માં સૌથી અગ્રણી અધિકૃત જોડાણવાળા જૂથોમાંની એક છે, જેમાં કંપનીઓ, વેપારી સંગઠનો અને બહુપક્ષીય સંસ્થાઓ સહભાગીઓ તરીકે છે. B20 પાસે વૈશ્વિક આર્થિક મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય વ્યાપારી સમુદાયના રજૂઆતનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે અને નેતાઓની સમિટ સહિત G20 બેઠકોના વિવિધ સ્તરોની ચર્ચામાં ભાગ લે છે. વર્ષો દરમિયાન B20 એ વધુ શક્તિ અને દૃશ્યતા મેળવી છે.

ભારતીય ઉદ્યોગ પરિષદ (CII)ને ભારત સરકાર દ્વારા ઔપચારિક રીતે B20 સચિવાલય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે જે ભારતના G20 પ્રમુખપદ દરમિયાન B20નું નેતૃત્વ કરે છે અને તેનું આયોજન કરશે.

B20 ભારત દરમિયાન પ્રાથમિકતાઓ "R.A.I.S.E.: જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાયો" ના એકંદર વિઝનની આસપાસ કેન્દ્રીત હશે, જે B20 ભારત માટેની થીમ છે.

B20 ઈન્ડિયા સાત ટાસ્ક ફોર્સ અને બે એક્શન કાઉન્સિલ દ્વારા B20 વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરશે અને વૈશ્વિક સ્તરે સુસંગતતા માટે મુખ્ય મુદ્દાઓ પર તેને નીતિઓના અમલીકરણમાં પરિવર્તિત કરશે.

પ્રેસિડેન્સીના સમયગાળા દરમિયાન, B20 ઈન્ડિયા સમગ્ર ભારતમાં શ્રેણીબદ્ધ ચર્ચાઓ અને નીતિ હિમાયત પહેલનું આયોજન કરશે, જેમાં B20 વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સાકાર કરવા અને તેને નક્કર અને કાર્યક્ષમ નીતિમાં પરિવર્તિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઓળખાયેલી ઉદ્યોગ પ્રાથમિકતાઓને આવરી લેવામાં આવશે..

B20 ઈન્ડિયા સચિવાલય દ્વારા આયોજિત ઘણી પહેલોમાંથી, શરૂઆતની બેઠક B20 ઈન્ડિયા હેઠળના તમામ ટાસ્કફોર્સ અને એક્શન કાઉન્સિલના પ્રમુખપદના કાર્યનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે. ઈન્સેપ્શનની બેઠક ઓળખી કાઢવામાં આવેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા શરૂ કરશે લિડર્સ સમિટની પહેલાં  G20ને સુપરત કરવા માટેની નીતિ ભલામણો ઘડવાની દિશામાં કામ શરૂ કરશે.

ઈન્સેપ્શન  મીટિંગ 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2023 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાવાની છે.

ઈન્સેપ્શન મીટીંગ ઘણા નીતિ નિર્માતાઓ, ચિંતન નેતાઓ, બિઝનેસ લીડર્સ, સીઈઓ અને જી20 દેશોના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરી સાથે, B20 ઈન્ડિયા હેઠળ બિઝનેસ એજન્ડા પર સમૃદ્ધ ચર્ચાઓ અને વિચાર-વિમર્શને ઉત્તેજીત કરશે.

ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત દાંડી કુટીરના પ્રવાસ સાથે થશે અને ત્યારબાદ 22 જાન્યુઆરીની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ . યોજાશે.

કાર્યક્રમના બીજા દિવસે B20 ઈન્ડિયાની પ્રાથમિકતાઓ પર સત્રો હશે, જેમાં અગ્રણી બિઝનેસ લીડર્સ જેમ કે શ્રી એન ચંદ્રશેખરન, અધ્યક્ષ, B20 ઈન્ડિયા અને ચેરમેન, ટાટા સન્સ, શ્રી સંજીવ બજાજ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, બજાજ,ફિનસર્વ લિમિટેડ, મિસ્ટર માઈકલ ફ્રોમન, વાઈસ ચેરમેન અને પ્રેસિડેન્ટ, વ્યૂહાત્મક વૃદ્ધિ, માસ્ટરકાર્ડ અને રાષ્ટ્રપતિની એક્ઝિક્યુટિવ ઓફિસમાં ભૂતપૂર્વ યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ, મિસ્ટર ચાર્લ્સ રિક જોહ્નસ્ટન, અધ્યક્ષ, OECD (BIAC) ખાતે બિઝનેસ અને મેનેજિંગ ડિરેક્ટર, ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ , સિટી ગ્રુપ, મિસ્ટર ક્રિશ્ચિયન કેન વોન સીલેન, બોર્ડના સભ્ય અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ફોક્સવેગન ગ્રુપ સેલ્સ ઈન્ડિયા, અને શ્રીમતી એમ્મા માર્સેગાગ્લિયા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચેર, માર્સેગાગ્લિયા હોલ્ડિંગ અને અન્યોના મુખ્ય સંબોધનો હશે.

ત્રીજા દિવસે, 24 જાન્યુઆરી 2023ના રોજ, ગાંધીનગરના પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો ટૂરનો  પ્રારંભ થશે. આ પછી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ની મુલાકાત લેવામાં આવશે, જે અડાલજની વાવની મુલાકાત સાથે સમાપ્ત થશે.

B20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગમાં વૈશ્વિક પ્રાથમિકતાઓ પર ચર્ચાઓ અને વિચાર-વિમર્શ થશે જે આગામી વર્ષમાં નીતિ ભલામણો માટે માર્ગ મોકળો કરશે અને તેથી B20 પ્રક્રિયામાં તેનું સર્વોચ્ચ મહત્વ છે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1892790) Visitor Counter : 208