રેલવે મંત્રાલય

18 અને 19 જાન્યુઆરીના રોજ સહિજપુર-અસારવા રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03 (ઓમનગર ફાટક) બંધ રહેશે

Posted On: 17 JAN 2023 3:37PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રેલ્વે લાઇન પર સહિજપુર-અસારવા રેલવે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03 km406/8-9 (ઓમનગર રેલ્વે ક્રોસિંગ) ઓવરહોલિંગ (સમારકામ) કાર્ય માટે 18 જાન્યુઆરી 2023ના રોજ સવારે 08:00 વાગ્યાથી 19 જાન્યુઆરી 2023 ના સાંજે 20:00 વાગ્યા સુધી (02 દિવસ માટે) બંધ રહેશે.

સડક ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન મેમ્કો રોડ ઓવર બ્રિજ (ROB) અને ચામુંડા રોડ ઓવર બ્રિજ (ROB) દ્વારા મુસાફરી કરી શકે છે.

YP/GP/JD



(Release ID: 1891788) Visitor Counter : 140