સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટપાલ સેવાઓને લગતી સમસ્યાઓના લગતા નિરાકરણ અર્થે ડાક અદાલતનું આયોજન

Posted On: 12 JAN 2023 12:14PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણના હેતુથી ડાક અદાલતનું આયોજન કરવા જઈ રહ્યું છે. વર્ષે 2022 તૃતીય ત્રિમાસિક ડાક અદાલતનું આયોજન તારીખ 23-01-2023ના રોજ 11.00 (અગિયાર) કલાકે પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે.

આ ડાક અદાલત દ્વારા લોકોની ફરિયાદનો વ્યાજબી રીતે નિકાલ કરવાનો ઉદ્દેશ છે અને આ માટે પોસ્ટમાસ્ટર જનરલ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે તથા ફરિયાદના વ્યાજબી નિરાકરણ આપશે. આથી દરેક નાગરિકને આ પ્રેસ વિજ્ઞપતિ દ્વારા જણાવવામાં આવે છે કે ટપાલ સેવાઓને લગતી ફરિયાદો આપ શ્રી કે. એસ. શુકલ, સહાયક નિદેશક ડાક સેવાઓ, પોસ્ટમાસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અ કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી, 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ને તારીખ 17-01-2023 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપશો. આ તારીખ બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં નહીં આવે જેની દરેક ખાસ નોંધ લેશે.

સામાન્ય પ્રકારની ફરિયાદો કે નીતિ વિષયક બાબતોની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહીં ફરિયાદો કોઈ એક મુદ્દા પર જ આપવાની રહેશે. એક થી વધુ મુદ્દાની ફરિયાદ પર ધ્યાન આપવામાં નહીં આવે જેની દરેક નાગરિકે ખાસ નોંધ લેવી. એક અરજીમાં ફરીયાદની વિગત ટૂંકમાં તથા સ્પષ્ટ રીતે પુરતી વિગતો સાથે સ્વચ્છ અ સુવાચ્ય અક્ષરમાં આપવાની રહેશે.

YD/GP



(Release ID: 1890627) Visitor Counter : 140