સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત

Posted On: 25 NOV 2022 3:36PM by PIB Ahmedabad

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-380 004ની કચેરી ખાતે તારીખ 15-12-2022 (ગુરુવાર)ના રોજ 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામા આવશે.

ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી પેન્શન સંબંધી ફરિયાદો શ્રી પ્રદીપ કે. નાયર, લેખાધિકારી, પેન્શન સેક્શન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004.ને મોડામાં મોડી તારીખ 08-12-2022 (ગુરુવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિં.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિં. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયોનો સમાવિષ્ઠ ના હોવો જોઈએ.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1878819) Visitor Counter : 144