સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે કચ્છ, પાલનપુર અને ગુજરાતના અન્ય ભાગોના સ્થાનિક મધમાખી ઉછેરનારાઓ/ખેડૂતો, કારીગરો સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 09 OCT 2022 9:05PM by PIB Ahmedabad

ખાદી યોજનાઓ અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે, , ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે કચ્છ, પાલનપુર અને ગુજરાતના અન્ય ભાગોના સ્થાનિક મધમાખી ઉછેરનારાઓ/ખેડૂતો, કારીગરો સાથે વાર્તાલાપ કર્યો હતો.

તેમની તાજેતરની ગુજરાત મુલાકાતમાં, KVICના અધ્યક્ષે અનેક ખાદી અને ગ્રામોદ્યોગ સંસ્થાઓ અને એકમોની મુલાકાત લીધી હતી.

તેમણે કચ્છના સામખિયાળી ખાતે ખાદી અને આરઇજીપી યુનિટ, એવરી ડે રોઝ હર્બલ બ્યુટી કેર, પીએમઇજીપી યુનિટ વાગડની તેમની પ્રથમ મુલાકાત લીધી હતી અને તેમના ઉત્પાદનોની પ્રશંસા કરી હતી.

શ્રી મનોજ કુમારે સ્મૃતિ વન ભુજની પણ મુલાકાત લીધી હતી અને કારીગરો દ્વારા બનાવેલ હસ્તકલા ઉત્પાદનોનું નાનકડું પ્રદર્શન નિહાળ્યું હતું. અને સ્મૃતિ વનમાં હસ્તકલા અને ખાદી સાથે સંકળાયેલા કારીગરોને પણ સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યએ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ સાથે સ્ટેજ શેર કર્યું હતું અને પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. માનનીય અધ્યક્ષે આ ખાસ હસ્તકલા પર કામ કરવા માટે જાણીતા હસ્તકલા કારીગરો સાથે વાર્તાલાપ કર્યો.

માનનીય અધ્યક્ષે કચ્છના ગોરેવાલી ગામની મુલાકાત લીધી અને સ્થાનિક હસ્તકલા કારીગરો અને ગામના સરપંચ સાથે બેઠક કરીને ગામમાં ખાદી પ્રવૃત્તિ શરૂ કરવાની રીતો અંગે ચર્ચા કરી.

માનનીય અધ્યક્ષે પ્રધાનમંત્રીના "વૉકલ ફોર લોકલ" હેઠળ હસ્તકલા પ્રવૃત્તિ અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સિનિયાડો અને હોડકો ગામની મુલાકાત પણ લીધી હતી. જે બાદ માનનીય અધ્યક્ષે ધોરડોની પણ મુલાકાત લીધી હતી. ગુજરાત-પાકિસ્તાન સરહદ પરના ભારતના છેલ્લા ગામ કોઠારીમાં, તેમણે સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્ન જાડેજાની હાજરીમાં 'ખાદી સંવાદ' નામની જાહેર સભામાં 500 ખાદી કારીગરો, પ્રતિનિધિઓ અને ગ્રામજનોને 'સંબોધિત' કર્યા હતા. આ પ્રસંગે બોલતા, તેમણે ખાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની યોજનાઓના લાભાર્થીઓની સંખ્યામાં વધારો કરવા અંગે ચર્ચા કરી હતી.

માનનીય અધ્યક્ષ KVICએ પણ પશ્ચિમ ખાદી ગ્રામોદ્યોગ સંઘ, કોઠારાની મુલાકાત લીધી હતી જ્યાં શ્રી મનોજ કુમારે, પ્રમુખ KVIC શ્રી પ્રદ્યુમ્ન જાડેજાની હાજરીમાં 'ખાદી સંવાદ' નામની જાહેર સભામાં કોઠારાના 500 ખાદી કારીગરો, પ્રતિનિધિઓ અને ગ્રામજનોને સંબોધિત કર્યા હતા. . ધારાસભ્ય આ પ્રસંગે બોલતા, તેમણે ખાદીના કામને કેવી રીતે આગળ લઈ જઈ શકાય અને કેવી રીતે KVICની યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ લોકો મેળવી શકે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ખાદી સંસ્થાન પશ્ચિમ ખાદી ગ્રામોદ્યોગ સંઘ દ્વારા સંચાલિત પશ્ચિમ કચ્છ શાળાની કન્યા છાત્રાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

માનનીય પ્રમુખ KVIC એ પણ પશ્ચિમ ખાદી ગ્રામોદ્યોગ સંઘ, કોઠારાની મુલાકાત લીધી હતી જ્યાં શ્રી મનોજ કુમારે શ્રી પ્રદ્યુમ્ન જાડેજાની હાજરીમાં 'ખાદી સંવાદ' નામની જાહેર સભામાં કોઠારાના 500 ખાદી કારીગરો, પ્રતિનિધિઓ અને ગ્રામજનોને સંબોધિત કર્યા હતા. ધારાસભ્યએ આ પ્રસંગે તેમણે KVICની યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો, ખાદી પ્રવૃત્તિઓ અને યોજનાઓને આગળ લઈ જવા પર ભાર મૂક્યો. તેમણે ખાદી સંસ્થાન પશ્ચિમ ખાદી ગ્રામોદ્યોગ સંઘ દ્વારા સંચાલિત પશ્ચિમ કચ્છ શાળાની કન્યા છાત્રાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પછી, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે 8 ઓક્ટોબર, 2022ના રોજ બનાસ ડેરી, બનાસકાઠાની મુલાકાત લીધી અને પાલનપુરના બનાસ વિસ્તારના સ્થાનિક મધમાખી ઉછેરનારાઓ/ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો. બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે. બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ ભાઈ ચૌધરીએ KVIC ના ચેરમેનનું સ્વાગત કર્યું.

તેમણે આ પ્રસંગે પ્રશિક્ષિત મધમાખી ઉછેર કરનારાઓને 200 મધમાખી પેટીઓનું પણ વિતરણ કર્યું હતું. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની ઘણી રોજગારલક્ષી પ્રવૃત્તિઓમાં મધ મિશન પણ એક મહત્વપૂર્ણ યોજના છે, જેના માટે KVIC માત્ર મધ ઉત્પાદન માટે જ પ્રેરિત નથી પરંતુ સાધનસામગ્રી અને તાલીમ અને જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડે છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ સ્વીટ રિવોલ્યુશનની હાકલ કરી ત્યારથી KVICએ લાખો મધની પેટીઓનું વિતરણ કર્યું છે અને હવે આવી કોલોનીઓ દ્વારા હજારો ટન મધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

તેમના રોકાણ દરમિયાન માનનીય અધ્યક્ષે વડનગરની પણ મુલાકાત લીધી હતી અને વડનગરમાં કીર્તિ સ્તંભ અને શર્મિષ્ઠા તળાવની પણ મુલાકાત લીધી હતી.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એક એવી સંસ્થા છે, જે દેશના દરેક રાજ્ય-જિલ્લા-નગર અને ગામડાઓ સુધી પહોંચી છે. KVIC દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ દ્વારા, દેશના લાખો લોકોને ગામડાઓમાં તેમના ઘરઆંગણે રોજગારની તકો પૂરી પાડવામાં આવી રહી છે.

માનનીય પ્રધાનમંત્રીએ ખાદીને સમગ્ર વિશ્વમાં ફેશન બ્રાન્ડ બનાવવા માટે વારંવાર અપીલ કરી છે. તેમના પ્રોત્સાહન અને આહવાનથી ખાદીનું વેચાણ દિવસેને દિવસે નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. અને તાજેતરમાં કનોટ પ્લેસ ખાતે 2 ઓક્ટોબર, 2022ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અવસરે, KVICના ખાદી ઈન્ડિયા નવી દિલ્હી આઉટલેટે 1.34 કરોડ રૂપિયાના વેચાણ સાથે એક દિવસમાં ખાદી વેચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જે પાછલા વર્ષની સરખામણીએ લગભગ 32 ટકા વધુ છે.

YP/GP/JD



(Release ID: 1866326) Visitor Counter : 187