કાપડ મંત્રાલય

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-ભારત સરકારના માનનીય અધ્યક્ષ શ્રી મનોજકુમારની 11 થી 13 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત

Posted On: 15 SEP 2022 12:21PM by PIB Ahmedabad

 

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-ભારત સરકારના માનનીય અધ્યક્ષ શ્રી મનોજકુમારે 11 થી 13 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. આ દરમિયાન કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદમાં ખાદી સંસ્થાઓ સાથે ખાદી સંવાદ બેઠક કરી હતી, એનઆઈએફટી-ગાંધીનગરમાં ખાદીના પેશન શોમાં પણ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર, ગોંડલ અને રાજકોટમાં પણ ખાદી સંસ્થાઓ અને કારીગરો સાથે ખાદી સંવાદ યોજ્યો હતો. ખાદી ક્ષેત્રે પડી રહેલી મુશ્કેલીઓનું કેવી રીતે નિવારણ કરી શકાય, ખાદી ક્ષેત્ર દ્વારા જે નોંધપાત્ર રેકોર્ડ વેચાણ અને કાર્ય થઈ રહ્યા છે, તેમાં કેવી રીતે વૃદ્ધિ કરી શકાય તે દરેક વિષયોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતની સંસ્થાઓ દ્વારા માનનીય અધ્યક્ષનો ખાદી સંવાદ પ્રેરણાદાયક ગણાવાયો હતો.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1859478) Visitor Counter : 187