રેલવે મંત્રાલય
વડોદરા મંડળ પર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ
13થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર શાનથી લહેરાશે તિરંગો
Posted On:
08 AUG 2022 9:57PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં સ્વતંત્રતાના 75મા વર્ષે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઊજવાઇ રહ્યો છે. આ શૃંખલામાં મંડળના તમામ રેલવે કર્મચારીઓ પોતાના ઘર પર તા. 13થી 15 ઓગસ્ટ 2022 દરમિયાન તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા - ઘર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવશે.
સિનિયર મંડળ કાર્મીક અધિકારી શ્રી સુનીલ બિશ્નોઇ એ જણાવ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મંડળના તમામ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓના ઘર પર તિરંગો લહેરાય એ માટે તૈયારીઓ કરવામાં આવી છે. મંડળે 11000 તિરંગા ખરીદાઇ ગયા છે.
મંડળની ઓફિસમાં યોજાયેલ સંક્ષિપ્ત કાર્યક્રમમાં મંડળ રેલવે પ્રબંધક શ્રી અમિત ગુપ્તાએ તિરંગા વિતરણ કાર્યક્રમની શરૂઆત કરી. આ પ્રસંગે શ્રી ગુપ્તાએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઊજવવામાં આવી રહેલા ‘હર ઘર તિરંગા - ઘર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવાની અપીલ કરી. આ પ્રસંગે હાજર રેલવે કર્મચારીઓએ આ મહાઅભિયાનમાં સહભાગી બનીને ‘હર ઘર લહેરાવીશું શાનથી તિરંગો’નો સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કાર્મીક અધિકારી શ્રી રાજન શર્મા સહિત મંડળની વેલફેર ટીમના સભ્યો પણ હાજર હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1850085)
Visitor Counter : 133