ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

Posted On: 06 AUG 2022 5:51PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ ગુજરાતની મુલાકાત દરમિયાન સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ પૂર્વે તેમણે દ્વારિકાધીશ તથા નાગેશ્વર મહાદેવના પણ સહપરિવાર દર્શનનો લાભ લીધો હતો.

શ્રી નાયડુ દ્વારકાથી હવાઈમાર્ગે સોમનાથ હેલિપેડ પર ઉતર્યા હતા અને ત્યાં રાજ્યનાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઇ બારડ, રાજશીભાઇ, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્વાગત કરી મોટરમાર્ગે સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી પી.કે.લહેરી, જે. ડી.પરમાર અને ટ્રસ્ટનાં સેક્રેટરી દેશાય દ્વારા સોમનાથ મહાદેવનો ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી નાયડુએ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાપૂજાનો લાભ લીધો હતો અને મંદિરના  પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર વડે આશિર્વચન ગ્રહણ કરી ઉપરાષ્ટ્રપતિએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ શ્રી નાયડુ સોમનાથથી હવાઈમાર્ગે રાજકોટ જવા રવાના થયા હતા.

SD/GP/JD
 



(Release ID: 1849128) Visitor Counter : 184